હવે દિલ્હી સચિવાલયના કર્મચારીઓ કેજરીવાલ સરકાર સામે કરશે ધરણા
નવી દિલ્હી, 24 જાન્યુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ આવનારા દિવસોમાં વધી શકે છે. દિલ્હી સચિવાલયના કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગો પૂરી નહીં થાય તો તેઓ રાજ્ય સરકારની વિરુધ્ધ વિરોધ પ્રદર્શન કરશે.
શુક્રવારે મીડિયા રિપોર્ટમાં જણાવ્યુંહતું કે દિલ્હી સચિવાલયના કર્મચારી મુખ્યમંત્રી કેજરીવાલને મળવા માટે ત્રણવાર અનુરોધ કરી ચૂક્યા છે પરંતુ ત્રણેય વખત તેમને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવા દીધી નહી. હવે સચિવાલયના કર્મચારીઓએ ચેતવણી આપતા જણાવ્યું છે કે મુખ્યમંત્રીએ તેમની ચિંતાઓનું સમાધાન કર્યું નહી તો તેઓ રાજ્ય સરકારની સામે અમર્યાદિત સમય માટે ધરણા પર ઉતરી જશે.
સચિવાલયના કર્મચારીઓએ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કરતા જણાવ્યું છે કે વારંવાર અનુરોધ કર્યા બાદ પણ મુખ્યમંત્રીએ તેમને મળવું યોગ્ય સમજ્યું ન્હોતું. અત્રે ઉલ્લેનીય છે કે મુખ્યમંત્રી કેજરીવાલની વિરુધ્ધ હાલના દિવસોમાં વિરોધ પ્રદર્શન વધ્યો છે. શિક્ષક પોતાની સેવાને નિયમિત કરવાની માંગને લઇને પ્રદર્શન કરી ચૂક્યા છે.