શ્રીલંકાઇ તમિલોના મુદ્દે ચર્ચા કરવા માટે રાજી: કેન્દ્ર
ડીએમકેના પ્રમુખ એમ. કરૂણાનિધિની ચેન્નાઇમાં કરવામાં આવેલી જાહેરાત બાદ સંસદીય કાર્યમંત્રી કમલનાથે લોકસબામાં જણાવ્યું કે સરકાર આ મુદ્દા પર તુરંત ચર્ચા કરાવવા રાજી છે. કરૂણાનિધિએ જણાવ્યું કે જો સંસદ 21 માર્ચથી પૂર્વ શ્રીલંકાઇ તમિલના મૂદ્દા પર પ્રસ્તાવ પસાર કરે છે તો તેઓ ટેકો પાછો લેવા પર વિચાર કરી શકે છે.
ખાસ વાત એ છે કે 21 માર્ચની સમય સીમા એ ખુબ જ મોટી વાત છે કારણ કે સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદમાં આ જ દિવસે શ્રીલંકાઇ તમિલો સાથે સંબંધિત અમેરિકા પ્રાયોજિત પ્રસ્તાવ પર મત વિભાજન થવાનું છે. કમલનાથે આ મુદ્દા પર મંગળવારે સદનમાં અન્નાદ્રમુક અને દ્રમુક સભ્યો દ્વારા કરવામાં આવેલ ભારે હોબાળા બાદ કહેવામાં આવ્યુ કે સરકાર શ્રીલંકામાં થઇ રહેલી ઘટનાઓ પર ગંભીર રીતે ચિંતિત છે અને તે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે.
આ પહેલા આજે શૂન્યકાળમાં દ્રમુક અને અન્નાદ્રમુક સભ્યો આ મુદ્દાને લઇને સ્પીકર સમક્ષ આવીને નારેબાજી કરવા લાગ્યા. દ્રમુકના ટીકેએસ ઇલનગોવને જણાવ્યું કે અમને સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદમાં પ્રસ્તાવની કોઇ પરવાહ નથી. એ જોવુ ભારત સરકારનું નૈતિક ફરજ છે કે શ્રીલંકાએ જે આશ્વાસન આપ્યું હતું, તેને પુરુ કરવામાં આવ્યું કે નહીં. સરકાર મૌનદર્શક શા માટે બની બેઠી છે.