રોહીંગ્યા અને બાંગ્લાદેશી પ્રેમથી દેશ ના છોડે તો ગોળી મારી દો: ભાજપા વિધાયક
આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) નો બીજો ડ્રાફ્ટ જાહેર થયા પછી તેને લઈને હંગામો થયો છે.
આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) નો બીજો ડ્રાફ્ટ જાહેર થયા પછી તેને લઈને હંગામો થયો છે. આ હંગામા વચ્ચે ભાજપા વિધાયક ઘ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જે બાંગ્લાદેશી પાછા ના જાય તેમને ગોળી મારી દેવી જોઈએ. તેલંગાણાના બીજેપી વિધાયક રાજા સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો રોહીંગ્યા અને બાંગ્લાદેશી પ્રેમથી દેશ ના છોડે તો તેમને ગોળી મારી દેવી જોઈએ, ત્યારે જ દેશ સુરક્ષિત થશે. રાજા સિંહ હૈદરાબાદના ગોશમહેલ વિધાનસભા થી વિધાયક છે.
આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરમાં રાજ્યના 40 લાખ લોકોનું નામ નથી. ત્યારપછી તેમની નાગરિકતાને લઈને વિવાદ છેડાઈ ગયો. નાગરિકતાના મામલે સંસદમાં જોરદાર હંગામો પણ થયો. વિપક્ષી દળો ઘ્વારા ભાજપ પર હુમલો કરીને વોટોની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો.
આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર સોમવારે જાહેર કરવામાં આવ્યું. આસામ દેશનું એક માત્ર રાજ્ય છે જ્યાં એનઆરસી જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના કુલ 3.29 કરોડ આવેદકોમાંથી 2.89 કરોડનું નામ છે જયારે 40 લાખ લોકોને અવૈધ માનવામાં આવ્યા છે. આ 40 લાખ લોકોને લઈને હાલમાં આખો હંગામો ચાલી રહ્યો છે.