નર્સિંગ હોમમાં ICU વિના નહીં થઇ શકે સર્જરી: સુપ્રીમ કોર્ટ
કલકત્તાના મેડિકલ બેદરકારીના કેસ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય, આઇસીયુ વિના કોઇ નર્સિંગ હોમમાં સર્જરી ના થઇ શકે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જે નર્સિંગ હોમમાં આઇસીયુ નથી, તેઓ કોઇપણ પ્રકારની સર્જરી નહીં કરી શકે. નોંધનીય છે કે, કલકત્તાના બિજૉયકુમાર સિન્હા દ્વારા વર્ષો પહેલા કરવામાં આવેલ અરજી મામલે સુપ્રીમ કોર્ટ આ નિર્ણય સંભળાવ્યો છે. તેમણે પોતાની અરજીમાં તબીબ પર આરોપ મુકતા કહ્યું હતું કે, તબીબની મેડિકલ ગેરજવાબદારીને કારણે તેમની પત્નીનું મૃત્યુ થયું છે. બિજૉયના પત્ની કલકત્તાના એક નર્સિંગ હોમમાં હિસ્ટેરેક્ટોમી સર્જરી માટે ગયા હતા, સર્જરી દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું. આ માટે તબીબ પર ગેરજવાબદારીનો આરોપ મુકાવામાં આવ્યો હતો.

બિજૉયે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, નર્સિંગ હોમમાં આઇસીયૂની સુવિધા પણ નહોતી. ઉલ્લેખનીય છે કે, અરજીકર્તા 23 સુધી આ કેસ લડ્યા હતા અને નિર્ણય આવતા પહેલાં તેમનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ અરજીકર્તાના પુત્ર સૌમિકે આ કેસ આગળ ધપાવ્યો હતો અને આખરે સુપ્રીમ કોર્ટ તરફથી તેમને ન્યાય મળ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે તબીબ પર લાગેલ મેડિકલ ગેરજવાબદારીના આરોપો તો નકાર્યા છે, પરંતુ તબીબને અરજીકર્તાને રૂ. 5 લાખ વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન












Click it and Unblock the Notifications
