Odisha : આરોગ્ય મંત્રીનું મોત, ASIએ મારી હતી ગોળી, PM અને CMએ વ્યક્ત કર્યો શોક
Odisha : ઓડિશાના આરોગ્ય પ્રધાન નબા કિશોર દાસ પર જીવલેણ હુમલા બાદ અવસાન થયું હતું. ભુવનેશ્વરમાં તેમની સારવાર ચાલી રહી હતી. જે દરમિયાન તેમને અંતિમ શ્વાસ લીધા હતા.
Odisha : ઓડિશાના આરોગ્ય મંત્રી નબા દાસની રવિવારના રોજ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બ્રજરાજનગરના ગાંધી ચોકમાં એક કાર્યક્રમ દરમિયાન નબા દાસને સુરક્ષાકર્મીએ ગોળી મારી દીધી હતી. આ ગોળીબારમાં ઘાયલ થયેલા નબા દાસને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને હવાઇ માર્ગે ભૂવનેશ્વર લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

રવિવારના રોજ આરોગ્ય પ્રધાન નબા દાસે મુખ્ય અતિથિ તરીકે ઓડિશાના બ્રજરાજનગરમાં જાહેર ફરિયાદ કાર્યાલયના ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી. તેમના સ્વાગત માટે ભીડ ઉમટી પડી હતી.
આ ઘટનાના પ્રત્યક્ષ સાક્ષીએ જણાવ્યું હતું કે, જાહેર ફરિયાદ કાર્યાલયના ઉદ્ઘાટનમાં, નબા દાસ મુખ્ય અતિથિ હતા. જ્યારે તેઓ પહોંચ્યા, ત્યારે તેમના સ્વાગત માટે ભીડ એકઠી થઈ ગઈ હતી. જે વચ્ચે અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો. અમે એક પોલીસ કર્મચારીને નજીકથી ગોળીબાર કરીને ભાગતા જોયો હતો. મંત્રીને ભુવનેશ્વર સુધી એર લિફ્ટ કરવામાં આવશે.
ભુવનેશ્વર કરાયા હતા એરલિફ્ટ
ગોળી વાગ્યા બાદ મંત્રીને ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદમાં તેને એરલિફ્ટ કરીને ભુવનેશ્વર લઈ જવામાં આવ્યો હતો. નબા કિશોર દાસ બીજેડીના વરિષ્ઠ નેતા છે. તાજેતરમાં જ તેમણે શનિ મંદિરમાં 1.7 કિલો સોનાનો કળશ ચઢાવ્યો હતો. તેમને મંદિરમાં દાન આપવાને કારણે ચર્ચામાં હતા.
વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી પટનાયકે દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના આરોગ્ય મંત્રી નબા કિશોર દાસના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી નવીન પટનાયકે ઓડિશા સરકારના મંત્રીના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, નબા દાસ સરકાર અને પાર્ટી બંને માટે અમુલ્ય સંપત્તિ સમાન હતા. તેમના નિધનથી ઓડિશા રાજ્ય માટે મોટી ખોટ છે.












Click it and Unblock the Notifications
