Omicron : આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે જાહેર કરી નવી માર્ગદર્શિકા, જાણો સંપૂર્ણ વિગતો...
કોરોનાના નવા પ્રકાર Omicron ને કારણે વધી રહેલી ચિંતા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
Omicron : કોરોનાના નવા પ્રકાર Omicron ને કારણે વધી રહેલી ચિંતા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારના રોજ વિદેશથી ભારત આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જે 1 ડિસેમ્બર (બુધવાર) થી અમલમાં આવશે. SARS- CoV-2 (B.1.1.1.529; Omicron) વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને વર્તમાન માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવ્યો છે.
નવી માર્ગદર્શિકા અનુસાર તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ એર સુવિધા પોર્ટલ પર 14 દિવસનો પ્રવાસ ઇતિહાસ અને નેગેટિવ RT PCR ટેસ્ટ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે.

નવી માર્ગદર્શિકાની કેટલીક મહત્વની બાબતો
છેલ્લા 14 દિવસની મુસાફરીની વિગતો સાથે સ્વ-ઘોષણા ફોર્મ ઓનલાઈન એર સુવિધા પોર્ટલ (https://www.newdelhiairport.in/airsuvidha/apho-
registration) પર નિર્ધારિત મુસાફરી પહેલાં સબમિટ કરવાનું રહેશે.
મુસાફરે COVID-19 RT-PCR નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે, જે મુસાફરી શરૂકરતા પહેલા 72 કલાકની અંદર ફરજિયાત છે.
'રિસ્ક-ક્લાસ કન્ટ્રીઝ' સિવાયના દેશોના મુસાફરોને એરપોર્ટની બહાર જવા દેવામાં આવશે અને 14 દિવસ સુધી તેમનાસ્વાસ્થ્યનું સ્વ નિરીક્ષણ કરવું પડશે.
એક પેટા વિભાગ (કુલ ફ્લાઇટ મુસાફરોના 5 ટકા) એ આગમન પર રેન્ડમ સમયે એરપોર્ટ પર કોવિડ 19 પરીક્ષણમાંથી પસાર થવુંપડશે.
તમામ મુસાફરોએ કોવિડ રિપોર્ટની અધિકૃતતા અંગે ઘોષણા પણ કરવી પડશે.

7 દિવસ સુધી સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડશે
મુસાફરોએ સુનિશ્ચિત કરવું પડશે કે, તેઓ મુસાફરી કરતા પહેલા ઘર/સંસ્થાકીય સંસર્ગનિષેધ(ક્વોરેન્ટાઇન પિરિયડ)માંથી પસાર થવાના સરકારી નિર્ણયનું પાલન કરે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, જોખમમાં રહેલા 12 દેશોમાંથી આવતા મુસાફરોનું એરપોર્ટ પર જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને તેમણે રિપોર્ટની રાહજોવી પડશે.
જો રિપોર્ટ નેગેટિવ આવશે, તો તેઓએ 7 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે અને 8મા દિવસે ફરીથી તપાસ કરવી પડશે અને જો નેગેટિવઆવશે, તો તેઓએ આગામી 7 દિવસ સુધી સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડશે.

આ 12 દેશોને જોખમ ધરાવતા દેશોની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે
કેન્દ્ર સરકારે આ 12 દેશોને જોખમી દેશોની શ્રેણીમાં રાખ્યા છે. આ દેશોના પ્રવાસીઓએ ભારતમાં આગમન પર વધારાના પગલાંનું પાલન કરવું પડશે.
દક્ષિણ આફ્રિકા ઉપરાંત યુનાઇટેડ કિંગડમ, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરિસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઇઝરાયલ સહિતના યુરોપિયન દેશોને જોખમીદેશોની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.
આ દેશોમાં ઓમિક્રોનના કેસ પહેલાથી જ નોંધાયા છે. આ 12 દેશોમાંથી આવનારા પ્રવાસીઓનું ભારતમાં પણ કોરોના ટેસ્ટ કરવામાંઆવશે અને તેમને ક્વોરેન્ટાઈન પણ કરવામાં આવશે.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ











Click it and Unblock the Notifications
