દેશના કેટલાય રાજ્યોમાં Omicron નું કોમ્યુનિટી સ્પ્રેડ, એક્સપર્ટ્સ ચિંતિત
દેશના કેટલાય રાજ્યોમાં Omicron નું કોમ્યુનિટી સ્પ્રેડ, એક્સપર્ટ્સ ચિંતિત
કોરોનાવાયરસને લઈ મોટાભાગના લોકો ધારણા બનાવી ચૂક્યા છે કે હવે આ વેરિયન્ટથી ડરવાની જરૂરત નથી. કેટલાક લોકો તો એવું પણ માને છે કે કોરોના હવે ખતમ થઈ ચૂક્યો છે. જો કે આ ખોટું છે, કેમ કે દેશમાં દરરોજ 3 લાખથી વધુ મામલા સામે આવી રહ્યા છે. આગામી દિવસોમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના મામલા તેજીથી વધી શકે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાને લઈ ચેતવણી જાહેર કરી છે. ડબલ્યૂએચઓનું કહેવું છે કે કોરોનાનો ઓમિક્રોન છેલ્લો વેરિયન્ટ નથી, BA.2 જેવા સ્ટ્રેન ભવિષ્યમાં વધુ જોવા મળશે. ભારત માટે ચિંતાની વાત એ છે કે દેશમાં ઓમિક્રોન વેરિયન્ટ હવે કોમ્યુનિટી ટ્રાંસમિશનના સ્ટેજ પર પહોંચી ગયો છે. જેનો મતલબ કે આ કોઈપણ વ્યક્તિ, સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા વિના અથવા સંક્રમિત જગ્યાએ ગયા વિના પણ કોરોના પોઝિટિવ થઈ જશે.

6 ફેબ્રુઆરી સુધી પીક પર હશે કોરોનાની લહેર
IIT મદ્રાસના સ્ટડી મુજબ ભારતમાં 6 ફેબ્રુઆરી સુધી કોરોનાવાયરસ પીક પર હશે. એટલે કે આગલા 2 અઠવાડિયા 6 ફેબ્રુઆરી સુધી કોરોનાના કેસ સૌથી વધુ હશે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાવાયરસ સંક્રમણ ફેલાવવાનો દર જણાવતી 'R-Value' 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી વચ્ચે ઓછો થઈ 1.57 રહી ગઈ. એક વ્યક્તિ કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે તે આર વેલ્યૂ જણાવે છે. જો આ દર એકથી નીચે ચાલી જાય છે તો માનવામાં આવે કે વૈશ્વિક મહામારી સમાપ્ત થઈ ગઈ છે.

ટેસ્ટ દ્વારા બધા વેરિયન્ટ્સ પકડવા મુશ્કેલ
જ્યારે આ મામલે બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયના વાયરોલૉજિસ્ટ પ્રોફેસર સુનીત કે સિંહનું કહેવું છે કે કોરોનાનો નવો વેરિયન્ટ ચિંતાનો વિષય છે. ઓમિક્રોનના જે નવાં વેરિયન્ટ સામે આવ્યાં છે, તેને ટેસ્ટ કરીને પકડવા મુશ્કેલ છે. તેમણે કહ્યું કે કોરોનાના બધા જ વેરિયન્ટ્સને જીનોમ સિક્વેંસિંગના માધ્યમથી ઓળખી શકાય છે, પરંતુ જ્યાં સુધી જિનોમ સીક્વેંસિંગના પરિણામ આવે છે ત્યાં સુધીમાં આ ઘણા લોકોને સંક્રમિત કરી ચૂક્યો હોય છે એટલે કે સંક્રમણની સ્પીડ ઘણી થઈ ચૂકી હોય છે.

પાછલા અઠવાડિયે સંક્રમણના મામલામાં 150%નો વધારો
કોરોનાની પીક ભલે ઘણા લોકો માટે ચિંતાની વાત ના હોય, પરંતુ વાયરસમાં સતત થઈ રહેલા મ્યૂટેશનથી વેરિયન્ટ કેટલો ખતરનાક હોય શકે છે, તેને લઈ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ચિંતિત છે. WHOએ કહ્યું કે ભારતમાં તેજીથી વધતા કોરોના સંક્રમણના મામલાના કારણે જ દક્ષિણ-પૂર્વ એશિયામાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય સંગઠન મુજબ પાછલા એક અઠવાડિયામાં ભારતમાં કોવિડ મામલાની સંખ્યા 150 ટકાથી વધી છે. અહીં 23 જાન્યુઆરીએ સમાપ્ત થયેલા અઠવાડિયે કોરોનાના 15,94,160 નવા મામલા નોંધાયા હતા, જ્યારે પાછલા અઠવાડિયે આ આંકડા 6,38,872 હતા.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
