ભાજપની જીત પર પ્રશાંત કિશોરે કહ્યું, 'સાહેબ' ની યુક્તિમાં ફસાશો નહીં
દેશના ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીતનો ડંકો વગાડ્યો છે. બીજી તરફ પંજાબમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને પછાડી દીધી છે.
નવી દિલ્હી, 11 માર્ચ : દેશના ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીતનો ડંકો વગાડ્યો છે. બીજી તરફ પંજાબમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને પછાડી દીધી છે. ભાજપની જોરદાર જીત બાદ હવે રાજકીય રણનીતિકાર અને નેતા પ્રશાંત કિશોરે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, ભારતની અસલી લડાઈનું પરિણામ વર્ષ 2024માં આવશે.
પ્રશાંત કિશોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, ભારત માટે યુદ્ધ 2024માં લડવામાં આવશે અને પછી નિર્ણય લેવામાં આવશે. કોઈપણ રાજ્યના ચૂંટણી પરિણામો દ્વારા નહીં.
'સાહેબ' ની યુક્તિમાં ફસાશો નહીં
2021માં કોંગ્રેસમાં જોડાયેલા પ્રશાંત કિશોરે કહ્યું, સાહેબ આ જાણે છે! આથી રાજ્યના પરિણામો દ્વારા વિપક્ષ સામે મનોવૈજ્ઞાનિક ધારણા ઊભી કરવાની યુક્તિ છે. રાજ્યનાપરિણામોને લઈને ઉન્માદ પેદા કરવાનો ચતુરાઈભર્યો પ્રયાસ થઈ રહ્યો છે.
પ્રશાંત કિશોરે ચેતવણી પણ આપી હતી કે, વિપક્ષોએ આમાં ફસાવું જોઈએ નહીં અથવા આખોટા નિવેદનનો ભાગ બનવું જોઈએ નહીં.
ચાર રાજ્યોમાં જીત બાદ વડાપ્રધાન મોદીએ કહી આ વાત
ઉલ્લેખીય છે કે, પાંચ રાજ્યોમાં બીજેપીની જીત બાદ વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં બીજેપી કાર્યકર્તાઓને પોતાના સંબોધનમાં ગુરુવારના રોજજણાવ્યું હતું કે, જ્યારે અમે 2019માં કેન્દ્રમાં સરકાર બનાવી ત્યારે નિષ્ણાતોએ કહ્યું હતું કે, આ 2017 ની જીત UP ને કારણે છે. હું માનું છું કે તે જ નિષ્ણાતો કહેશે કે,2022ની ચૂંટણીના પરિણામોએ 2024ની રાષ્ટ્રીય ચૂંટણીઓનું ભાવિ નક્કી કર્યું હતું.
ઉત્તર પ્રદેશમાં ભાજપે 273 સીટ જીતી
ઉત્તર પ્રદેશની 403 બેઠકોની વિધાનસભામાં, ભાજપ ગઠબંધને સત્તા વિરોધી લહેરને હરાવીને 273 બેઠકો જીતી છે. તેણે ઉત્તરાખંડમાં 70માંથી 47 અને મણિપુરમાં60માંથી 32 બેઠકો જીતી હતી. ગોવામાં ભાજપે કુલ 40 માંથી 20 બેઠકો જીતી છે.
પંજાબમાં આપે કર્યો અદ્દભૂત કમાલ
પંજાબમાં AAPએ 117 માંથી 90 બેઠકો જીતીને પંજાબ વિધાનસભાની ચૂંટણી જીતી હતી.
2024ની લોકસભા ચૂંટણી પર ભાજપની જંગી જીત કેવી અસર કરશે?
નોંધપાત્ર વાત એ છે કે, ઉત્તર પ્રદેશ અને અન્ય ત્રણ રાજ્યોમાં ભાજપે ફરીથી વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ સવાલો ઉભા થઈ રહ્યા છે કે, આ રાજ્યોના ચૂંટણીપરિણામો 2024ની લોકસભા ચૂંટણી પર કેવી અસર કરશે?
શું ભાજપ સત્તા જાળવી શકશે? ઉત્તર પ્રદેશ, મણિપુર અને ઉત્તરાખંડમાં ભાજપે શાનદાર જીત નોંધાવ્યાનાએક દિવસ બાદ પ્રશાંત કિશોરનું નિવેદન આવ્યું છે. પાર્ટી ગોવા અને મણિપુરમાં પણ સરકાર બનાવવા જઈ રહી છે.