સીએમ ઉમેદવારની જાહેરાત પર સિદ્ધુએ કહ્યું- રાહુલ ગાંધીનો નિર્ણય સ્વીકાર!
પંજાબ કોંગ્રેસના નેતાઓ રાજ્યમાં મુખ્યમંત્રી ચહેરાની જાહેરાતની સતત માંગ કરી રહ્યા હતા. થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ પણ પંજાબની જનતાને વચન આપ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં સીએમ ચહેરાની જાહેરાત કરશે.
નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી : પંજાબ કોંગ્રેસના નેતાઓ રાજ્યમાં મુખ્યમંત્રી ચહેરાની જાહેરાતની સતત માંગ કરી રહ્યા હતા. થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ પણ પંજાબની જનતાને વચન આપ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં સીએમ ચહેરાની જાહેરાત કરશે. સસ્પેન્સનો રવિવારે અંત આવ્યો, જ્યાં લુધિયાણામાં વર્ચ્યુઅલ રેલીમાં રાહુલે જાહેરાત કરી કે કોંગ્રેસ વર્તમાન સીએમ ચરણજીત ચન્નીના નેતૃત્વમાં ચૂંટણી લડશે. જો તેમની સરકાર બનશે તો ચન્ની સીએમ બનશે. આ જાહેરાત બાદ નવજોત સિંહ સિદ્ધુને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે લાંબા સમયથી તેમની નજર સીએમની ખુરશી પર હતી.

લુધિયાણામાં વર્ચ્યુઅલ રેલીમાં PCC ચીફ સિદ્ધુ પણ હાજર હતા. તેમણે કહ્યું કે મેં રાહુલ ગાંધીના નિર્ણયનો સ્વીકાર કર્યો છે. જો મને નિર્ણય લેવાની શક્તિ આપવામાં આવશે, તો હું માફિયાઓને ખતમ કરીશ, લોકોનું જીવન સુધારીશ. જો મને સત્તા નહીં મળે તો તમે જેને પણ મુખ્યમંત્રી બનાવશો તેની સાથે હસતાં હસતાં ચાલીશ.
#WATCH | I have accepted Rahul Gandhi's decision...if I am given decision-making power, I will finish the mafia, improve people's lives. If not given power, I will walk with a smile with whomever you make CM: Punjab Congress president Navjot Singh Sidhu in Ludhiana pic.twitter.com/pS71BUBkhW
— ANI (@ANI) February 6, 2022
સિદ્ધુ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે હું 40 વર્ષ પહેલા નવજોત સિંહ સિદ્ધુને મળ્યો હતો પરંતુ તેમને ખબર નથી કે તેઓ રાહુલ ગાંધીને મળ્યા હતા. હું દૂન સ્કૂલમાં હતો, જ્યાં તે ક્રિકેટ મેચ રમવા આવ્યા હતા. ત્યારબાદ તેમણે કહ્યું કે ચરણજીત સિંહ ચન્ની આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. તે એક ગરીબ પરિવારમાંથી આવે છે. રાહુલના કહેવા પ્રમાણે, ચન્ની મુખ્યમંત્રી બન્યા છતાં તેમનામાં ઘમંડ નથી. તે જનતાની વચ્ચે જાય છે, શું ક્યારેય નરેન્દ્ર મોદીને કોઈએ જનતાની વચ્ચે જતા રસ્તા પર કોઈની મદદ કરતા જોયા છે? કરશે નહીં કારણ કે તે રાજા છે, વડાપ્રધાન નથી.
પોતાના નામની જાહેરાત કર્યા બાદ સીએમ ચન્નીએ કહ્યું કે આ એક મોટી લડાઈ છે જે હું એકલો નહીં લડી શકું. મારી પાસે પૈસા કે હિંમત નથી. પંજાબના લોકો પણ હિંમત આપશે, પંજાબના લોકો બધું કરશે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી









Click it and Unblock the Notifications
