બીરભૂમ હિંસા પર TMC પ્રવક્તાએ કહ્યું, રાજ્યની વસ્તી 11 કરોડ, અડધી રાતની ઘટનામાં પોલીસ શું કરી શકે?
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં જે રીતે ટીએમસીના એક નેતાની પહેલા હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ એક પરિવારને એક ઘરમાં બંધ કરીને આગ લગાવી દેવામાં આવી હતી, ત્યારે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.
કોલકાતા, 24 માર્ચ : પશ્ચિમ બંગાળના બીરભૂમમાં જે રીતે ટીએમસીના એક નેતાની પહેલા હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ એક પરિવારને એક ઘરમાં બંધ કરીને આગ લગાવી દેવામાં આવી હતી, ત્યારે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. આ ઘટનામાં 8 લોકો જીવતા દાઝી ગયા હતા. મૃતકોમાં છ મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ આજે મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘટનાસ્થળની મુલાકાત લેશે, પરંતુ જે રીતે આ નિર્દય ઘટના પ્રકાશમાં આવી છે, એ વચ્ચે TMC પ્રવક્તા બિસ્વજીત દેબનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.
પોલીસ પણ શું કરે ?
બિશ્વજીત દેબે કહ્યું કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, 11 કરોડની વસ્તીવાળા રાજ્યમાં એક ઘટના બની, એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની, આ ઘટના અડધી રાત્રે બની,પોલીસ શું કરી શકે. એકવાર ઘટના બની ત્યારે સરકારે તમામ જરૂરી પગલાં લીધાં, સરકારે SITની રચના કરી, મામલાની તપાસ ચાલી રહી છે, અમે આ કેસમાં 22લોકોની ધરપકડ કરી છે. દોષિતોને બક્ષવામાં આવશે નહીં, ખુદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યની જનતાને આ ખાતરી આપી છે.
રાજ્યપાલનું કાર્યાલય ભાજપ કાર્યાલય બન્યું
આ સમગ્ર ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, રાજ્ય સરકારે આ બાબતને પહેલાથી જ ગંભીરતાથી લીધી છે, કોઈને બક્ષવામાં આવશે નહીં, પરંતુ કમનસીબે બંગાળના રાજ્યપાલ આ મુદ્દે રાજકારણ કરી રહ્યા છે. તેઓ ભાજપના મુખપત્રની જેમ કામ કરી રહ્યા છે. તેઓએ રાજ્યપાલ કાર્યાલયને ભાજપ કાર્યાલયમાં ફેરવી દીધું છે.
ભાજપના ઈશારેરાજ્યપાલ રાજ્યની દરેક ઘટના પર એજન્ડા ચલાવે છે. તેઓ હંમેશા રાજ્ય સરકારને ભીંસમાં મૂકે છે, તેઓ કોઈ રાજકીય વ્યક્તિ નથી, પરંતુ તેઓ ભાજપના ઈશારેકામ કરે છે.
ભાજપે મમતાને નિર્દય ગણાવી
ટીવી ડિબેટ દરમિયાન સંબિત પાત્રાએ મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા અને તેમને નિર્દય બેનર્જી કહ્યા હતા. 8 લોકોને ઘરની અંદર બંધ કરીને સળગાવી દેવામાંઆવ્યા હતા અને પોલીસે તેમની મદદ પણ કરી ન હતી. ટીએમસીના પ્રવક્તાનું કહેવું છે કે, જો ઘટના અડધી રાત્રે બને તો પોલીસ શું કરી શકે, એટલે કે પોલીસ રાત્રેસૂતી રહે.
બંગાળની વસ્તી 11 કરોડ છે, તો શું લોકોને મરવા દેવામાં આવશે? સંબિત પાત્રાએ કહ્યું કે, ભાજપે ઉત્તર પ્રદેશમાં જોરદાર જીત નોંધાવી, પરંતુ પરિણામો બાદરાજ્યમાં એક પણ હિંસક ઘટના બની નથી.
આખું બંગાળ ટીએમસીના મતભેદને જાણે છે
બીજી તરફ બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ બિસ્વજીત દેબના નિવેદન પર કહ્યું કે, આ લોકોએ પોતે જ તેમના ડીજીપીનું નિવેદન સાંભળવું જોઈએ, તેઓ પોતે જ કહે છેકે, આ સમગ્ર મામલામાં કોઈ રાજકીય એંગલ નથી.
સમગ્ર બંગાળના લોકો જાણે છે કે, ટીએમસીમાં આંતરિક ઝઘડો ચાલી રહ્યો છે, આ લોકો તેમના કાર્યકરો સાથે આવુંકરી રહ્યા છે, તો કલ્પના કરો કે આ લોકોએ વિપક્ષ સાથે શું કર્યું હશે.