Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

73મો પ્રજાસત્તાક દિવસની પુર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ 384 વીરતા પુરસ્કારોની જાહેરાત કરી!

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ સશસ્ત્ર દળોના જવાનો અને અન્ય લોકો માટે 384 વીરતા પુરસ્કારોને મંજૂરી આપી છે.

નવી દિલ્હી, 25 જાન્યુઆરી : રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ સશસ્ત્ર દળોના જવાનો અને અન્ય લોકો માટે 384 વીરતા પુરસ્કારોને મંજૂરી આપી છે. તેમાં 12 શૌર્ય ચક્ર, 3 વખતના સેના મેડલ (શૌર્ય), 81 સેના મેડલ (શૌર્ય) અને 2 વાયુ સેના મેડલ (વીરતા) નો સમાવેશ થાય છે.

73rd Republic Day

અગાઉ રાષ્ટ્રપતિએ 51 લોકોને જીવન રક્ષા પદક પુરસ્કાર 2021 એનાયત કરવાની મંજૂરી આપી હતી. જીવન રક્ષા પદક શ્રેણી પુરસ્કાર 2021, 51 વ્યક્તિઓને આપવામાં આવ્યો, જેમાં 6 સાર્થ જીવન રક્ષા પદક, 16 ઉત્તમ જીવન રક્ષા પદક અને 29 જીવન રક્ષા પદકનો સમાવેશ થાય છે. 5 પુરસ્કારો મરણોત્તર છે. પુરસ્કારોની આ શ્રેણી કોઈ વ્યક્તિના જીવનને બચાવવાના ઉત્કૃષ્ટ કાર્ય માટે આપવામાં આવે છે.

બીજી તરફ પ્રજાસત્તાક દિવસે ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીતીને વિશ્વમાં ભારતનો ત્રિરંગો લહેરાવનાર 4 રાજપુતાના રાઈફલ્સના સુબેદાર નીરજ ચોપરાને પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે.

જણાવી દઈએ કે દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર દેશની સુરક્ષામાં અદમ્ય બહાદુરી દર્શાવીને સર્વોચ્ચ બલિદાન આપનાર બહાદુર સૈનિકોને વીરતા પુરસ્કાર આપવામાં આવે છે. બીજી તરફ દિલ્હીમાં આતંકવાદી હુમલાના એલર્ટને ધ્યાનમાં રાખીને પ્રજાસત્તાક દિવસ પહેલા રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દરેક જગ્યાએ પોલીસ તૈનાત છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X