73મો પ્રજાસત્તાક દિવસની પુર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ 384 વીરતા પુરસ્કારોની જાહેરાત કરી!
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ સશસ્ત્ર દળોના જવાનો અને અન્ય લોકો માટે 384 વીરતા પુરસ્કારોને મંજૂરી આપી છે.
નવી દિલ્હી, 25 જાન્યુઆરી : રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ સશસ્ત્ર દળોના જવાનો અને અન્ય લોકો માટે 384 વીરતા પુરસ્કારોને મંજૂરી આપી છે. તેમાં 12 શૌર્ય ચક્ર, 3 વખતના સેના મેડલ (શૌર્ય), 81 સેના મેડલ (શૌર્ય) અને 2 વાયુ સેના મેડલ (વીરતા) નો સમાવેશ થાય છે.
અગાઉ રાષ્ટ્રપતિએ 51 લોકોને જીવન રક્ષા પદક પુરસ્કાર 2021 એનાયત કરવાની મંજૂરી આપી હતી. જીવન રક્ષા પદક શ્રેણી પુરસ્કાર 2021, 51 વ્યક્તિઓને આપવામાં આવ્યો, જેમાં 6 સાર્થ જીવન રક્ષા પદક, 16 ઉત્તમ જીવન રક્ષા પદક અને 29 જીવન રક્ષા પદકનો સમાવેશ થાય છે. 5 પુરસ્કારો મરણોત્તર છે. પુરસ્કારોની આ શ્રેણી કોઈ વ્યક્તિના જીવનને બચાવવાના ઉત્કૃષ્ટ કાર્ય માટે આપવામાં આવે છે.
What is the difference between Bar to SM and SM ? @elitepredatorss @armybratspeaks @TacticalKafir
— S Akash (@Skysreesan) January 25, 2022
બીજી તરફ પ્રજાસત્તાક દિવસે ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીતીને વિશ્વમાં ભારતનો ત્રિરંગો લહેરાવનાર 4 રાજપુતાના રાઈફલ્સના સુબેદાર નીરજ ચોપરાને પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે.
Tokyo Olympics Gold medalist Subedar Neeraj Chopra of 4 Rajputana Rifles awarded the Param Vishisht Seva Medal on Republic Day
— ANI (@ANI) January 25, 2022
(File photo) pic.twitter.com/LqS3g1yfLz
જણાવી
દઈએ
કે
દર
વર્ષે
ગણતંત્ર
દિવસના
અવસર
પર
દેશની
સુરક્ષામાં
અદમ્ય
બહાદુરી
દર્શાવીને
સર્વોચ્ચ
બલિદાન
આપનાર
બહાદુર
સૈનિકોને
વીરતા
પુરસ્કાર
આપવામાં
આવે
છે.
બીજી
તરફ
દિલ્હીમાં
આતંકવાદી
હુમલાના
એલર્ટને
ધ્યાનમાં
રાખીને
પ્રજાસત્તાક
દિવસ
પહેલા
રાજધાનીમાં
સુરક્ષા
વ્યવસ્થા
સઘન
કરવામાં
આવી
છે.
દરેક
જગ્યાએ
પોલીસ
તૈનાત
છે.