રાહુલજી, સરદાર પટેલના નામ પર કેટલી યોજના ચલાવી?
નવી દિલ્હી, 9 ફેબ્રુઆરીઃ ગુજરાતના બારડોલીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સભા દરમિયાન આરએસએસની વિચારધારાને ઝેરીલી ગણાવી. સાથે જ કહ્યું કે, સરદાર પટેલ મારા દિલમાં વસે છે. રાહુલના આ નિવેદન પર આરએસએસ કાર્યકર્તાએ તીખી પ્રતિક્રિયા સાથે પ્રશ્ન કર્યો છે, હાં, આરએસએસની વિચારધારા ઝેરીલી છે, પરંતુ માત્ર કોંગ્રેસ માટે અને જો સરદાર પટેલ ખરેખર કોંગ્રેસીઓના દિલમાં વસે છે, તો રાહુલજી તમે તેમના નામે કેટલી યોજનાઓ ચલાવી છે, બસ એટલું જણાવી દો.

આરએસએસના એક સામાન્ય કાર્યકર્તાનું કહેવું છે કે, તમે ગાંધીવાદી વિચારધારની વાત કરે છે, જો તમે એ વિચારો છો કે દેશનો પ્રત્યેક વ્યક્તિ છે ગાંધીજીને માને છે, તે તમારી નીતિઓથી સંતૃષ્ઠ છે, તો તમે ખોટા છો. જેનું સૌથી મોટું ઉદાહરણ જયપ્રકાશ નારાયણ છે. જેપીએ આંદોલન કર્યું, ઇન્દિરા ગાંધી વિરુદ્ધ, જો કે તે જાતે જ ગાંધીના વિચારોને ઘણા માનતા હતા.
નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ ગુજરાતમાં આરએસએસ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા. હવે જોવાનું એ રહ્યું કે રાહુલના આ પ્રહારો લોકસભા ચૂંટણીમાં ભાજપને રોકી શકે છે કે નહીં.












Click it and Unblock the Notifications
