સંસદમાં પ્રશ્નકાળ ખતમ કરવાના પ્રસ્તાવ પર વિપક્ષ ભડક્યું, મનાવવા સરકારના પ્રયત્નો
સંસદમાં પ્રશ્નકાળ ખતમ કરવાના પ્રસ્તાવ પર વિપક્ષ ભડક્યું, મનાવવા સરકારના પ્રયત્નો
નવી દિલ્હીઃ કોરોના મહામારીને પગલે માનવામાં આવી રહ્યું છે કે આ વખતે મૉનસૂન સત્રમાં સંસદના બંને સદનોમાં સત્ર દરમિયાન પ્રશ્નકા અથવા શૂન્ય કા નહિ હોય, સાથે જ પ્રાઈવેટ મેમ્બર બિલને લઈને પણ અનિશ્ચિતતાનો માહોલ હતો. પરંતુ આ આશંકા વચ્ચે વિપક્ષના નેતાઓએ આના માટે ચર્ચા ખોલી દીધી. વિપક્ષના કેટલાય વરિષ્ઠ નેતાઓએ આ બાબતે લોકસભા અને રાજ્યસભા બંનેના પીઠાસીન અધિકારીઓને પત્ર લખ્યો છે અને પ્રસ્તાવને લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જે બાદ સરકાર વિપક્ષ આગળ પોતાનો ફેસલો બદલવા માટે મજબૂર થઈ છે. સૂત્રો મુજબ રક્ષામંત્રી રાજનાથ સિંહે વિપક્ષના નેતાઓ સાથે સંપર્ક સાધ્યો છે અને આ મામલે વાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે વિપક્ષના નેતાઓના વિરોધને પગલે સરકાર પોતાના ફેસલાથી પાછળ હટી શકે છે.
વિપક્ષને ભરોસો અપાવ્યો
સૂત્રો મુજબ સરકાર શૂન્ય કાની મંજૂરી આપી શકે છે. વિપક્ષના ભારે વિરોધ વચ્ચે રાજનાથ સિંહે કેટલાક વિપક્ષના નેતાઓ સાથે વાત કરી છે અને તેમણે આ વાતનો ભરોસો જતાવ્યો કે તેઓ શૂન્ય કાને મંજૂરી આપી શકે છે, જેમા સાંસદ મહત્વના મુદ્દાઓને ઉઠાવી શકે છે. જણાવી દઈએ કે રાજનાથ સિંહ લોકસભાના ડેપ્યૂટી લીડર પણ છે.
14 સપ્ટેમ્બરે ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે
જણાવી દઈએ કે 14 સપ્ટેમ્બરથી ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે, એવામાં કોરોના સંકટ વચ્ચે ચમાસા સત્રના સંચાલનને લઈ લોકસભા અને રાજ્યસભા સચિવાલયમાં માથાકુટ ચાલી રહી છે. કોરોના સંકટના કારણે જ ચોમાસુ સત્ર શરૂ કરવામાં પહેલેથી જ મોડું થઈ ચૂક્યું છે. કેમ કે બદલતા હાલાતોમાં સુરક્ષિત રીતે સંસદનું ચોમાસુ સત્ર આયોજિત કરવું બહુ મોટો પડકાર છે.
18 બેઠક થશે
14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલનાર સંસદ સત્રમાં કોઈપણ રજા નહિ હોય. આ દરમ્યાન બંને સદનની કુલ 18 બેઠક મળશે, જેમાં રાજ્યસભાની કાર્યવાહી દિવસના શરૂઆતી ચાર કલાકમાં થશે અને લોકસભાની બેઠક બાદના ચાર કલાકોમાં આયોજિત કરાશે.
ભારત- ચીન સીમા વિવાદ પર અમારી નજર, શાંતિથી મામલો ઉકેલાયઃ અમેરિકા