For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 જૂલાઈથી શરૂ થતી ચાર ધામ યાત્રામાં બીજા રાજ્યના પ્રવાસી નહિ જઈ શકે

કોરોના વાયરસનુ સંક્રમણ દેશમાં ફેલાવાની અસર ચાર ધામ યાત્રા પર પણ પડી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસનુ સંક્રમણ દેશમાં ફેલાવાની અસર ચાર ધામ યાત્રા પર પણ પડી રહ્યુ છે. દર વર્ષે લગભગ એપ્રિલ-મેમાં શરૂ થનારી આ યાત્રા આ વખતે જૂન સુધી શરૂ થઈ શકી નથી. બહુ વિચાર કર્યા બાદ ઉત્તરાખંડ સરકારે એક જુલાઈથી યાત્રાને શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ હાલમાં આ યાત્રા ગયા વર્ષોની જેમ સામાન્ય નહિ હોય. અત્યારે લગભગ બધા લોકોને ચાર ધામ યાત્રાની મંજૂરી નથી આપવામાં આવી. સીમિત સંખ્યામાં જ લોકોને કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રાના દર્શનનો લાભ મળશે.

chardham

એક જુલાઈથી શરૂ થઈ રહેલી ચાર ધામ યાત્રા માટે હજુ માત્ર ઉત્તરાખંડ નિવાસીઓને જ મંજૂરી આપવામાં આવી છે. ચાર ધામ દેવસ્થાનમ બોર્ડના સીઈઓ રવિનાથ રમનના જણાવ્યા મુજબ રાજ્યમાં રહેતા લોકો પહેલા જિલ્લા પ્રશાસનથી મંજૂરી લીધા બાદ આવેદન આપશે. મંજૂરી મળ્યા બાદથી જ તે ચાર ધામની યાત્રા પર જઈ શકશે. યાત્રા પર જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓ માટે રુદ્રપ્રયાગ, ચમોલી અને ઉત્તરકાશી જિલ્લા પ્રશાસ સોમવાર સુધી વેબસાઈટ લૉન્ચ કરશે. વેબસાઈટ પર જઈને તે યાત્રા માટે આવેદન કરી શકશે. ત્યારબાદ તેમને પ્રશાસન યાત્રા પાસ જારી કરશે.

ચાર ધામ યાત્રા માટે કન્ટેનમેન્ટ ઝોનના લોકોને હજુ વધુ રાહ જોવી પડશે. તેમને હાલમાં આ યાત્રા માટે મંજૂરી નથી આપવામાં આવી. ક્વૉરંટાઈનમાં રહેતા લોકો પણ યાત્રા પર નહિ જઈ શકે. ઉત્તરાખંડથી બહાર અન્ય રાજ્યોના લોકોને યાત્રા પર જવાની મંજૂરી નથી. ઉત્તરાખંડના જે લોકોને યાત્રા પર જવાની મંજૂરી પ્રશાસન આપશે. તેમને પણ સ્થાનિક નિવાસી હોવાનુ પ્રમાણપત્ર આપવાનુ રહેશે ત્યારે તેમને પાસ જારી કરવામાં આવશે.

અત્યારે સરકારે એ નક્કી કર્યુ છે કે બદ્રીનાથ ધામમાં 1200 શ્રદ્ધાળુઓને જવાની મંજૂરી આપવામાં આવશે. વળી, કેદારનાથમાં 800, ગંગોત્રીમાં 600 અને યમુનોત્રીમાં 400 શ્રદ્ધાળુઓને જવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાર ધામ યાત્રાના સીઈઓ રવિનાથ રમને કહ્યુ કે જેટલી સંખ્યાાં લોકોને જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. હાલમાં તેમના માટે ત્યાં પૂરી તૈયારી કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે તીર્થ પુરોહિતોનુ એક જૂથ યાત્રા શરૂ કરવા તૈયાર છે.

સોનાની કિંમત સપ્તાહના પહેલા દિવસે રેકોર્ડ સ્તરેસોનાની કિંમત સપ્તાહના પહેલા દિવસે રેકોર્ડ સ્તરે

English summary
Other states Residents not allowed to do Char Dham Yatra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X