દિલ્હીમાં ઓક્સિજન સંકટ સુપ્રીમે કેન્દ્ર સરકારને લગાવી ફટકાર, કહ્યું- અધિકારીને જેલમાં મોકલે કે અવમાનનો કેસ કરે
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ઓક્સિજનની અછતનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, આ મામલે બુધવારે સુનાવણી કરવામાં આવી હતી. દરમિયાન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે દિલ્હીમાં ઓક્સિજનની માંગ વધુ છે, જે મુજબ અમને
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ઓક્સિજનની અછતનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, આ મામલે બુધવારે સુનાવણી કરવામાં આવી હતી. દરમિયાન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે દિલ્હીમાં ઓક્સિજનની માંગ વધુ છે, જે મુજબ અમને સંસાધનોની જરૂર પડશે. કેન્દ્રની આ ટિપ્પણી પર ન્યાયાધીશ ચંદ્રચુડે સખ્ત શબ્દોમાં પૂછ્યું કે તમે દિલ્હીને કેટલું ઓક્સિજન આપ્યું છે, અને એ પણ પૂછ્યું કે તમે હાઈકોર્ટમાં એવું કેવી રીતે કહ્યું કે સુપ્રીમ કોર્ટે દિલ્હીને 700 એમટી ઓક્સિજન સપ્લાય કરવાનો આદેશ આપ્યો નથી?

જસ્ટિસ ચંદ્રચુડે સુનાવણી દરમિયાન કહ્યું કે ઓક્સિજનની સમસ્યાને પહોંચી વળવા શું કરવામાં આવે. કોર્ટના આદેશનું પાલન કરવું તે કેન્દ્ર સરકારની જવાબદારી છે, નિષ્ફળ અધિકારીઓને જેલમાં ધકેલી દેવા જોઈએ અથવા કેન્દ્ર સરકાર પોતે પણ તિરસ્કારના કેસ માટે તૈયાર હોવી જોઈએ. જો કે, આ બધાને કારણે દિલ્હીને ઓક્સિજન મળશે નહીં, તેથી કામ કરવું વધુ સારું છે. જસ્ટિસ શાહે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે ઓક્સિજન ગેસના અભાવને કારણે કોરોના વાયરસના દર્દીઓ મરી રહ્યા છે અને આ રાષ્ટ્રીય કટોકટી છે.
The Union of India has approached Supreme Court today against yesterday's Delhi High Court's order asking officials monitoring oxygen procurement and supply to states, including Delhi, to be present during today’s hearing
— ANI (@ANI) May 5, 2021












Click it and Unblock the Notifications
