પીએમ મોદીને શપથગ્રહણમાં આમંત્રણ આપશે વઝીર-એ-આઝમ ઈમરાન ખાન!
હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ઈમરાન, પીએમ મોદીને પોતાના શપથગ્રહણ સમારંભ માટે આમંત્રણ આપી શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે પાકિસ્તાન પીએમ ઈન વેઈટિંગ અને તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (પીટીઆઈ) ના પ્રમુખ ઈમરાન ખાનને જીતના અભિનંદન પાઠવ્યા હતા. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ઈમરાન, પીએમ મોદીને પોતાના શપથગ્રહણ સમારંભ માટે આમંત્રણ આપી શકે છે. ઈમરાન 11 ઓગસ્ટે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. રસપ્રદ વાત એ છે કે ઈમરાન ખાન, પીએમ મોદીની જેમ સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને શપથગ્રહણમાં આમંત્રણ આપવા પર વિચાર કરી રહ્યા છે. એ રીતે જોઈએ તો પીએમ મોદીને પણ શપથગ્રહણ માટે આમંત્રણ આપવામાં આવી શકે છે.

હજુ સુધી ઈમરાનને નથી મળ્યો બહુમત
65 વર્ષના ઈમરાનને જો કે હજુ સુધી સરકાર બનાવવા માટે જરૂરી આંકડાની જરૂર છે પરંતુ તેમને અને પક્ષને પૂરો ભરોસો છે કે 11 ઓગસ્ટે તે પીએમ તરીકે શપથ જરૂર લેશે. પક્ષના પ્રવકતા ફવાદખાન ચૌધરીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જાણકારી આપી, ‘પીટીઆઈની કોર કમિટી પ્રધાનમંત્રી મોદી સહિત સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કો-ઓપરેશન એટલે કે સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને બોલાવવા અંગે વિચાર કરી રહી છે. જલ્દી આના પર કોઈ નિર્ણય લેવામાં આવશે.'

બંને દેશોના સંબંધોમાં નવી શરૂઆત
25 જુલાઈએ પાકિસ્તાનમાં થયેલ ચૂંટણીમાં ઈમરાનનો પક્ષ પીટીઆઈ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે. ભારતે પણ ઈસ્લામાબાદમાં વધતી રાજકીય હલચલો વચ્ચે ઈમરાનના પક્ષનો સંપર્ક કરવાની ગતિવિધિઓ તેજ ઝડપી કરી દીધી છે. સૂત્રોની માનીએ તો ભારતીય હાઈ કમિશનના અધિકારી પીટીઆઈ લીડર્સ સાથે સંપર્કમાં છે અને તે એવા નેતા છે જે નવી સરકારમાં મહત્વની ભૂમિકા નિભાવવાના છે. પીટીઆઈના આ નેતાએ મોદી તરફથી ઈમરાનને કરાયેલા ફોનને બંને દેશોના સંબંધોમાં નવી શરૂઆત કરનાર ચેપ્ટર ગણાવ્યુ છે. વળી તેમણે એ વાતનો પણ ઈનકાર ના કર્યો કે મોદી શપથગ્રહણ સમારંભમાં આવી શકે છે.

પીએમ મોદીએ કરી હતી ઈમરાન સાથે વાત
પીએમ મોદીએ સોમવારે ઈમરાનને જે ફોન કર્યો હતો તેમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાનમાં લોકતંત્રની નવી શરૂઆત થશે અને સાથે દક્ષિણ એશિયામાં પણ શાંતિ જળવાશે. મે 2014 ના રોજ જ્યારે પીએમ મોદીએ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારે તેમણે પણ તત્કાલીન પાક પીએમ નવીઝ શરીફને સાર્ક દેશોના પ્રમુખો સાથે આમંત્રણ આપ્યુ હતુ. આ આમંત્રણ સાથે નવાઝ પહેલી વાર અધિકૃત રીતે ભારતના પ્રવાસે આવ્યા હતા. રવિવારે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ ઈમરાનને ફોન કરીને તેમને જીતના અભિનંદન પાઠવ્યા હતા. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ તરફથી ટ્વિટર પર તેની જાણકારી આપવામાં આવી કે બંને નેતા ફોન પર થયેલી વાતચીત બાદ એ વાત પર રાજી થયા કે બંને દેશોના રાજકીય, સામાજિક અને આર્થિક ભવિષ્ય માટે નવા સંબંધોનો પાયો નાખવામાં આવે અને જૂની વાતોમાંથી બહાર નીકળવામાં આવે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?











Click it and Unblock the Notifications
