ફાઈટર જેટનો અવાજ સાંભળી ગભરાયા પાકિસ્તાનીઃ ‘અમને લાગ્યુ યુદ્ધ શરૂ થઈ ગયુ'
યુદ્ધના સમાચારથી પાકિસ્તાનમાં પણ ખોફનો માહોલ છે. યુદ્ધના કારણે ત્યાંના લોકોને એટલો બધો ડર છે કે ફાઈટર જેટના અવાજથી જાણે કે તેમની આત્મી કાંપી ગઈ હોય.
છેલ્લા કેટલાક દિવસોથી પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશમાં અને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે. બીજી તરફ રહી રહીને યુદ્ધના સમાચાર પણ ચોંકાવી રહ્યા છે. પાકિસ્તાનમાં પણ ખોફનો માહોલ છે. યુદ્ધના કારણે ત્યાંના લોકોને એટલો બધો ડર છે કે ફાઈટર જેટના અવાજથી જાણે કે તેમની આત્મી કાંપી ગઈ હોય. આનુ ઉદાહરણ ત્યારે જોવા મળ્યુ જ્યારે ગુરુવારે સવારે પાકિસ્તાનના સિયાલકોટ બોર્ડર પર પાક એરફોર્સના 2 જેટ વિમાન પેટ્રોલિંગ માટે ઉડ્યા.

સવારે જે પહેલો અવાજ સાંભળ્યો તો લાગ્યુ કે યુદ્ધ શરૂ થઈ ગયુ
ગુરુવારે સવારે પાકિસ્તાનના સિયાલકોટ બોર્ડર પર પાક એરફોર્સના 2 જેટ વિમાન પેટ્રોલિંગ માટે ઉડ્યા. આના અવાજથી ઉઠેલા લોકોને લાગ્યુ કે યુદ્ધ શરૂ થઈ ગયુ છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની જનતાએ આના વિશે લખવાનું શરૂ કરી દીધુ હતુ. એક પાકિસ્તાની પત્રકાર મુબાશિર જૈદીએ લખ્યુ - શકરગઢ વર્કિંગ બાઉન્ડ્રી પર અમારા પ્લેન્સે સાઉન્ડ બેરિયર તોડ્યો છે... ધમાકાનો જોરદાર અવાજ થયો. આના પર મોહમ્મદ યાહયા ખાન નામના ટ્વીટર અકાઉન્ટ પરથી જવાબ આવ્યો - મને લાગ્યુ શકરગઢથી યુદ્ધ શરૂ થઈ ગયુ છે.

લોકોના સનસનીખેજ ટ્વિટથી ફેલાઈ અફવા
એક એક કરીને સોશિયલ મીડિયા પર માનો આખુ પાકિસ્તાન જ યુદ્ધની વાતો કરવા લાગ્યુ. @UBK86 નામના અકાઉન્ટથી ટ્વીટ આવ્યુ - ‘સિયાલકોટમાં શું થયુ છે... કયા પ્રકારનો ધમાકો હતો... જલ્દી બતાવો' એવામાં જેને વાતનો અંદાજો પણ નહોતો તેણે માની લીધુ કે યુદ્ધ સવારથી શરૂ થઈ ચૂક્યુ છે. વળી, @hurairah_wazir નામના ટ્વીટરથી ત્યાં સુધી કહી દેવામાં આવ્યુ કે સિયાલકોટમાં પાકિસ્તાની એરફોર્સે ભારતીય જેટને પાડી દીધુ.

અફવામાં ભારતીયો પણ પાછળ ન રહ્યા
હવે જ્યારે અફવા ઉડી તો સીમાને પાર પણ કહાનીઓ ઘડાવા લાગી. @jaihind100 નામના એક ટ્વીટર અકાઉન્ટથી લખવામાં આવ્યુ, ‘ભારતે પાકિસ્તાનના શકરગઢ અને સિયાલકોટ સેક્ટરમાં 15 મિનિટની અંદર બે બોમ્બ ફેંક્યા. સંઘર્ષમાં પાકિસ્તાની એરફોર્સ.' જો કે આવા અફવા ભરેલા ટ્વીટ વચ્ચે અમુક લોકોએ જવાબમાં સ્પષ્ટ કર્યુ કે આવુ કંઈ નથી, ખોટી સનસની ફેલાવવાનું બંધ કરો.

પુલવામા હુમલા બાદ વારંવાર યુદ્ધની માંગ
પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા હુમલા અને તેમની શહીદીથી ગુસ્સે ભરાયેલા લોકોનો એક મોટો સમૂહ હકીકતમાં યુદ્ધ ઈચ્છે છે. પાકિસ્તાન સામે ખૂબ નફરતભર્યા ટ્વીટ થઈ રહ્યા છે. આવુ એટલા માટે કારણકે આ હુમલો પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા કરવામાં આવ્યો હતો. વળી, બીજી તરફ આ હુમલા બાદ કાશ્મીરમાં પણ સેના તૈનાત કરી દેવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
