ભારતની સહાનૂભુતિથી પાકિસ્તાનીઓ થયા અભિભૂત
નવી દિલ્હી, 19 ડિસેમ્બર: પેશાવર હુમલા બાદ દુ:ખની પળોમાં છેલ્લા બે દિવસોથી ભારતીયો ટ્વિટર, ફેસબુક અને વોટ્સએપ દ્વારા સતત પાકિસ્તાનીઓ પ્રત્યે પોતાની સહાનૂભુતિ દર્શાવતા હુમલાની ટીકા કરી રહ્યા છે. પાકિસ્તાનના લોકો ભારતીયોની આ સંવેદનશીલતાથી અભિભૂત થયા છે.
પેશાવરની એક આર્મી શાળામાં 16 ડિસેમ્બરના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ ટ્વિટર પર 'પેશાવરએટેક' અને 'ઇન્ડિયા વિથ પાકિસ્તાન' જેવા હેશટેગ ટ્રેંડિંગ પર છે, જે બે પડોશી દેશોના નાગરિકોને જોડી રહ્યા છે.

ભારતની સહાનૂભુતિથી અભિભૂત બનેલ પાકિસ્તાની નાનગરિક ઇમાદ ઝફરે ટ્વિટર પર લખ્યું છે કે 'દુ:ખની પળોમાં પાકિસ્તાનની સાથે રહેનાર સરહદ પારના અમારા મિત્રોનું અભિવાદન કરું છું. પ્રતિદ્વંદ્વી માતહત છે, માનવતાની જીત થઇ છે.'

લાહોરમાં રહેનારા નિઝામુલ અસરે લખ્યું છે કે 'આપણા લોહીનો રંગ એક જ છે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા હુમલાની સૌથી પહેલા નિંદા કરનારા વિશ્વના નેતાઓમાં સામેલ છે.'

ભારતીયોએ પેશાવર હુમલા પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગ્લોબલ વોઇસે લખ્યું, 'હા, હું ભારતીય છું, તો શું થયું. બાળક ગુમાવવાનું દુ:ખ દરેકને સરખુ થાય છે.'
પૂર્વ વિદેશ સચિવ નિરૂપમા રાવે લખ્યું 'બાળકોની હત્યાઓની અણદેખાઇ કરી શકાય નહીં. બાળકોની સીમા ના હોઇ શકે.'
ઇન્ડિયાવિથપાકિસ્તાનનું હેશટેગ શરૂ કરનારી તહસીન પૂનાવાલાએ લખ્યુ-'કેટલાંક લોકો નફરત ક્યારેય નથી છોડતા. મને પરવાહ નથી કે તેઓ શું વિચારે છે, મારુ માનવું છે કે જ્યારે 'ઇન્ડિયાવિથપાકિસ્તાન'ને ટ્રેંડ કર્યું તો માનવતાની જીત થઇ.'
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
