Parliament : જાણો અધ્યાદેશ, અધિનિયમ અને બિલમાં શું ફરક હોય છે?
હાલ સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન વિવિધ બિલ લાવવામાં આવી રહ્યા છે. જો કે તમને એ નહીં ખબર હોય કે પાર્લામેન્ટમાં લાવવામાં આવતા બિલ, અધ્યાદેશ અને અધિનિયમમાં ફરક હોય છે.
જણાવી દઈએ કે, કોઈપણ બિલ ત્યારે જ કાયદો બને છે જ્યારે બંને ગૃહોમાં પસાર થાય છે. તેના પર અડધાથી વધુ રાજ્યોની સંમતિની મહોર તેમજ રાષ્ટ્રપતિની સહી હોય છે અને તેના માટે રાષ્ટ્રપતિ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે. આવું થયા પછી જ તેને સમગ્ર દેશમાં એકસરખી રીતે લાગુ કરવામાં આવે છે.

જ્યારે પણ લોકસભામાં કોઈ બિલ આવે છે ત્યારે એક્ટ, બિલ, કાયદો અને વટહુકમ જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવે છે. આજે આપણે એ જ જાણવાના છીએ કે અધિનિયમ, અધ્યાદેશ અને બિલ વચ્ચે શું ફરક છે?
જ્યાં સુધી લોકસભા અને રાજ્યસભા દ્વારા કાયદો પસાર ન થાય ત્યાં સુધી તેને બિલ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કેન્દ્ર સરકારે હમણાં જ લોકસભામાં નારી શક્તિ વંદન બિલ રજૂ કર્યું છે. જ્યારે તે પસાર થશે ત્યારે તે એક કાયદો બની જશે. જો કે, જો તમે વિચારી રહ્યા હોવ કે જ્યારે બંને ગૃહો દ્વારા બિલ પસાર થાય છે, ત્યારે તે આપોઆપ કાયદો બની જાય છે, તો તમે ખોટા છો. હકીકતમાં, કોઈપણ બંધારણીય ખરડો કાયદો બને તે પહેલાં, તે એક અધિનિયમ બની જાય છે અને તેની અંતિમ પ્રક્રિયા તેને કાયદો બનાવે છે.
બિલ
લોકસભા અને રાજ્યસભા દ્વારા કાયદો પસાર ન થાય ત્યાં સુધી તે બિલ તરીકે ઓળખાય છે. જો તમે વિચારી રહ્યા હોવ કે બંને ગૃહોમાં બિલ પસાર થાય ત્યારે તે આપોઆપ કાયદો બની જાય તો એવુ નથી. કોઈપણ બંધારણીય ખરડો કાયદો બને તે પહેલાં તે એક અધિનિયમ બની જાય છે અને તેની અંતિમ પ્રક્રિયા તેને કાયદો બનાવે છે.
અધિનિયમ અને કાયદા અંતર?
કોઈપણ બિલને અધિનિયમ બનવા તેને પહેલા લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવું પડે છે અને તેની સાથે તેને અડધાથી વધુ રાજ્યો દ્વારા મંજૂર કરવામાં આવે છે તેમજ રાષ્ટ્રપતિ દ્વારા સહી કરવી પડે છે. તેના માટે રાષ્ટ્રપતિ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે.
આ ગ્ર પ્રક્રિયા પછી જ બિલ એક્ટ બને છે. આ કાયદો જ્યાં સુધી જમીન પર અમલમાં ન આવે ત્યાં સુધી સ્વીકારવામાં આવતો નથી. કોઈપણ બિલને કાયદો બનવા માટે ત્રણ તબક્કા પસાર કરવા પડે છે. પહેલા ખરડો પછી અધિનિયમ અને અંતે કાયદો બને છે.
વટહુકમ
વટહુકમ એ ટૂંકા ગાળા માટે બનેલો કાયદો છે. આ માટે સરકારને સંસદની તાત્કાલિક પરવાનગીની જરૂર નથી. બાદમાં સરકારે આ કાયદા માટે સંસદની પરવાનગી લેવી પડે છે. જણાવી દઈએ કે, કેન્દ્રીય કેબિનેટની સલાહ પર રાષ્ટ્રપતિ જ્યારે ઈચ્છે ત્યારે કલમ 123 હેઠળ વટહુકમ બહાર પાડી શકે છે. જ્યારે રાજ્યોમાં આ વટહુકમ રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવે છે.
-
હોળી પ્રગટાવવા દરમિયાન બબાલ બાદ રાજકોટમાં 3 લોકોની અટકાયત -
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
માર્ચ મહિનો કેટલો ગરમ રહેશે? ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ ટાઇ થઈ તો? જાણો ફાઇનલ કઈ ટીમ રમશે? -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો












Click it and Unblock the Notifications
