Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Parliament : જાણો અધ્યાદેશ, અધિનિયમ અને બિલમાં શું ફરક હોય છે?

હાલ સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન વિવિધ બિલ લાવવામાં આવી રહ્યા છે. જો કે તમને એ નહીં ખબર હોય કે પાર્લામેન્ટમાં લાવવામાં આવતા બિલ, અધ્યાદેશ અને અધિનિયમમાં ફરક હોય છે.

જણાવી દઈએ કે, કોઈપણ બિલ ત્યારે જ કાયદો બને છે જ્યારે બંને ગૃહોમાં પસાર થાય છે. તેના પર અડધાથી વધુ રાજ્યોની સંમતિની મહોર તેમજ રાષ્ટ્રપતિની સહી હોય છે અને તેના માટે રાષ્ટ્રપતિ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે. આવું થયા પછી જ તેને સમગ્ર દેશમાં એકસરખી રીતે લાગુ કરવામાં આવે છે.

Parliament

જ્યારે પણ લોકસભામાં કોઈ બિલ આવે છે ત્યારે એક્ટ, બિલ, કાયદો અને વટહુકમ જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવે છે. આજે આપણે એ જ જાણવાના છીએ કે અધિનિયમ, અધ્યાદેશ અને બિલ વચ્ચે શું ફરક છે?

જ્યાં સુધી લોકસભા અને રાજ્યસભા દ્વારા કાયદો પસાર ન થાય ત્યાં સુધી તેને બિલ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કેન્દ્ર સરકારે હમણાં જ લોકસભામાં નારી શક્તિ વંદન બિલ રજૂ કર્યું છે. જ્યારે તે પસાર થશે ત્યારે તે એક કાયદો બની જશે. જો કે, જો તમે વિચારી રહ્યા હોવ કે જ્યારે બંને ગૃહો દ્વારા બિલ પસાર થાય છે, ત્યારે તે આપોઆપ કાયદો બની જાય છે, તો તમે ખોટા છો. હકીકતમાં, કોઈપણ બંધારણીય ખરડો કાયદો બને તે પહેલાં, તે એક અધિનિયમ બની જાય છે અને તેની અંતિમ પ્રક્રિયા તેને કાયદો બનાવે છે.

બિલ
લોકસભા અને રાજ્યસભા દ્વારા કાયદો પસાર ન થાય ત્યાં સુધી તે બિલ તરીકે ઓળખાય છે. જો તમે વિચારી રહ્યા હોવ કે બંને ગૃહોમાં બિલ પસાર થાય ત્યારે તે આપોઆપ કાયદો બની જાય તો એવુ નથી. કોઈપણ બંધારણીય ખરડો કાયદો બને તે પહેલાં તે એક અધિનિયમ બની જાય છે અને તેની અંતિમ પ્રક્રિયા તેને કાયદો બનાવે છે.

અધિનિયમ અને કાયદા અંતર?
કોઈપણ બિલને અધિનિયમ બનવા તેને પહેલા લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવું પડે છે અને તેની સાથે તેને અડધાથી વધુ રાજ્યો દ્વારા મંજૂર કરવામાં આવે છે તેમજ રાષ્ટ્રપતિ દ્વારા સહી કરવી પડે છે. તેના માટે રાષ્ટ્રપતિ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે.

આ ગ્ર પ્રક્રિયા પછી જ બિલ એક્ટ બને છે. આ કાયદો જ્યાં સુધી જમીન પર અમલમાં ન આવે ત્યાં સુધી સ્વીકારવામાં આવતો નથી. કોઈપણ બિલને કાયદો બનવા માટે ત્રણ તબક્કા પસાર કરવા પડે છે. પહેલા ખરડો પછી અધિનિયમ અને અંતે કાયદો બને છે.

વટહુકમ
વટહુકમ એ ટૂંકા ગાળા માટે બનેલો કાયદો છે. આ માટે સરકારને સંસદની તાત્કાલિક પરવાનગીની જરૂર નથી. બાદમાં સરકારે આ કાયદા માટે સંસદની પરવાનગી લેવી પડે છે. જણાવી દઈએ કે, કેન્દ્રીય કેબિનેટની સલાહ પર રાષ્ટ્રપતિ જ્યારે ઈચ્છે ત્યારે કલમ 123 હેઠળ વટહુકમ બહાર પાડી શકે છે. જ્યારે રાજ્યોમાં આ વટહુકમ રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X