અસમ NRC: ‘જે લોકોના નામ નથી તેમને પાછા તેમના દેશ મોકલવામાં આવશે'
ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ રામ માધવે કહ્યુ છે કે જે લોકોના નામ અંતિમ યાદીમાં નથી તે લોકોનો મતાધિકાર છીનવીને તેમને પાછા તેમના દેશ મોકલી દેવામાં આવશે.
અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રેશન (એનઆરસી) ના મુદ્દે ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ રામ માધવે કહ્યુ છે કે જે લોકોના નામ અંતિમ યાદીમાં નથી તે લોકોનો મતાધિકાર છીનવીને તેમને પાછા તેમના દેશ મોકલી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે એનઆરસી મુદ્દે ભાજપના જ નેતા અને અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યુ છે કે આને સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. આ સાથે સોનેવાલે કહ્યુ કે ભારતના વાજબી નાગરિકને નાગરિકતા સિદ્ધ કરવાની પૂરતી તક આપવામાં આવશે. સોનોવાલે આ વાત ડિફેન્ડીંગ ધ બોર્ડ્સ, સેક્યુરિંગ ધ કલ્ચર વિષય પર આધારિત એક સેમિનારમાં કહી છે.

આ એક એવો દસ્તાવેજ છે જે બધા ભારતીયોનું સંરક્ષણ કરી શકે
થિંક ટેંક તરફથી આયોજિત સેમિનારમાં સોનોવાલે કહ્યુ કે એનઆરસી બધા રાજ્યોમાં લાગુ કરવી જોઈએ. આ એવો દસ્તાવેજ છે જે બધા ભારતીયોનું સંરક્ષણ કરી શકે છે. સોનોવાલે કહ્યુ કે અસમમાં એનઆરસીમાં શામેલ લોકો અન્ય રાજ્યોમાં જઈ શકે છે. એટલા માટે આપણે ઠોસ પગલાં લેવાની જરૂર છે.

અસમ એનઆરસીથી 40 લાખ લોકો બહાર
તમને જણાવી દઈએ કે સુપ્રિમ કોર્ટના આદેશ પર અસમમા રહેતા લોકોની નાગરિકતા ઓળખવા માટે 30 જુલાઈએ અંતિમ ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 40 લાખ લોકો એવા છે જે પોતાની નાગરિકતા સિદ્ધ કરી શક્યા નથી. હવે આ લોકો માટે રાજકીય વિવાદ થયો છે. આ મુદ્દે માધવે કહ્યુ કે 1985 માં થયેલી અસમ સમજૂતી મુજબ એનઆરસીને અદ્યતન કરવામાં આવી રહી છે અને બધા ગેરકાયદેસર પ્રવાસીઓને ઓળખીને તેમને દેશમાંથી બહાર કાઢવાની પ્રતિબદ્ધતા જાહેર કરી છે.

દુનિયાના કોઈ દેશ ગેરકાયદેસર પ્રવાસીઓને સહન નથી કરતા
રામ માધવે કહ્યુ કે દુનિયામાં કોઈ પણ દેશ ગેરકાયદેસર પ્રવાસીઓ સહન નથી કરતા. પરંતુ ભારત રાજકીય કારણોના લીધે ગેરકાયદેસર પ્રવાસીઓ માટે ધર્મશાળા જેવુ બની ગયુ છે. તેમણે કહ્યુ કે બાંગ્લાદેશ પણ મ્યાનમાર સાથે આ અંગે વાતચીત કરી રહ્યુ છે. જેથી તે પોતાના દેશમાં રહેતા લાખો રોહિંગ્યાને બહાર કાઢી શકે.
-
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
