પોતાના કાર્યકાળ પર બોલ્યા પીએમ મોદી, મે જે કર્યુ એ યોગ્ય કે અયોગ્ય એ જનતા નક્કી કરશે
વર્ષ 2019ના પહેલા જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી ANIને આ વર્ષનો પોતાનો પહેલો ઈન્ટરવ્યુ આપ્યો.
વર્ષ 2019ના પહેલા જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી ANIને આ વર્ષનો પોતાનો પહેલો ઈન્ટરવ્યુ આપ્યો. આ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ એક પછી એક મુદ્દાઓ પર ખુલીને વાત કરી. આ ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે રામ મંદિર, સર્જીકલ સ્ટ્રાઈક, જીએસટી, વિધાનસભા ચૂંટણી, અર્થવ્યવસ્થા, ખેડૂત, રાફેલ ડીલ, નોટબંધી, સબરીમાલા, ટ્રિપલ તલાક, ઓગસ્ટા વેસ્ટલેન્ડ સહિત ઘણી બાબતો પર વાત કરી. તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા.
પોતાના સાડા ચાર વર્ષના કાર્યકાળ પર પૂછાયેલા સવાલ પર પીએમે કહ્યુ કે આનો નિર્ણય હું જનતા પર છોડુ છુ. પીએમ મોદીએ કહ્યુ કે આ હું જનતા પર છોડુ છુ કે લોકો મારા કામથી સંતુષ્ટ છે કે નહિ. તેમણે કહ્યુ કે આપણી સંસદમાં સારી ચર્ચા થાય, ઉંડી ચર્ચા થાય એ ખૂબ જરૂરી છે.
જેટલી વધુ ચર્ચા થાય એ મંથનથી અમૃત નીકળે છે. દૂર્ભાગ્યવશ આ ધીમે ધીમે ઓછુ થઈ રહ્યુ છે આનાથી દેશને નુકશાન થઈ રહ્યુ છે. 8 કલાક સુધી સરકારને ઘેરવાનો મોકો મળે છે. સંસદનું કામ છે, વ્યવસ્થા પર દબાણ કરવાનું. આપણી સંસદ જાગૃત થાય.
#WATCH #PMtoANI on his tenure: I leave it to people to decide whether satisfied or not with my work. But one thing, I am not surprised, I could neither make the Lutyen’s world part of me or me a part of them. pic.twitter.com/YnoqdGYgUs
— ANI (@ANI) 1 January 2019
આ પણ વાંચોઃ પાંચ રાજ્યોમાં ભાજપની હાર પર શું બોલ્યા મોદી?