Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બેંકોના ગોરખધંધા સામે પીએમ મોદી એક્શન મોડ પર, 500 શાખાઓનું સ્ટિંગ ઓપરેશન

કાળાનાણા સામે બેંકોના ગોરખધંધા પર પીએમ મોદીએ કમર કસી છે, 500 થી વધુ બેંક શાખાઓનું કરાવ્યુ સ્ટિંગ ઓપરેશન...

નોટબંધીના નિર્ણય બાદ દેશભરમાંથી બેંકોમાં કાળાનાણાને સફેદ કરવાનો ગોરખધંધો સામે આવ્યો છે, ત્યારબાદ પ્રધાનમંત્રી પોતે એક્શન મોડમાં આવી ગયા છે.

pm modi

પીએમ પાસે પહોંચી સ્ટિંગ ઓપરેશનની સીડી

સૂત્રોની માનીએ તો પ્રધાનમંત્રી મોદીએ દેશભરની બેંકોની 500 શાખાઓમાં સ્ટિંગ ઓપરેશન કરાવ્યુ છે અને આ સ્ટિંગ ઓપરેશની સીડી પ્રધાનમંત્રી પાસે પહોંચી પણ ગઇ છે. આ બેંકોમાં સરકારી સાથે પ્રાઇવેટ બેંકો પણ શામેલ છે. સૂત્રો અનુસાર અત્યાર સુધી કુલ 400 થી વધુ બેંકોના સ્ટિંગની સીડી પીએમ મોદી પાસે પહોંચી ગઇ છે જેમાં પૈસાના ગોરખધંધાના મામલા કેમરામાં કેદ થયા છે. આ ઓપરેશનમાં પોલિસ અને દલાલની મીલિભગત પણ કેદ થઇ છે.

it

શહેરી અને ગ્રામીણ બેંકો પણ શામેલ

પીએમ મોદી પાસે આ બેંકો સામે પૂરતા પુરાવા પહોંચ્યા છે જેમાં શહેરની બેંકો ઉપરાંત ગ્રામીણ વિસ્તારની બેંકો પણ શામેલ છે. તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલા એક્સીસ બેંકના બે મેનેજરના ઘરેથી 40 કરોડ રુપિયા પણ જપ્ત કરવામાં આવ્યા હતા અને બંને બેંક મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી.

black money

પ્રાઇવેટ બેંકોના કર્મચારીઓ પણ આવ્યા હતા સંકજામાં

આ પહેલા એક્સીસ બેંકના કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બધા કર્મચારીઓને કાળાનાણાને સફેદ કરવાના આરોપમાં સસ્પેંડ કરવામાં આવ્યા હતા.

સરકારી બેંક પણ નથી પાછળ

કાળાનાણાના ગોરખધંધામાં સરકારી બેંક પણ શામેલ છે, કોલકત્તાની કેનેડા બેંકના ડેપ્યુટી મેનેજર, રાજસ્થાનના અલવરમાં કો-ઓપરેટીવ બેંકના મેનેજર, પંજાબના ભટીંડામાં ઓબીસી બેંકના બે કેશિયર, બેંગલુરુની સેંટ્રલ બેંકના મેનેજર અને હૈદરાબાદમાં સીંડીકેટ બેંકના બે કર્મચારીઓની ધરપકડ પણ થઇ ચૂકી છે.

money

તમામ જગ્યાએ જપ્ત થઇ રકમ

નોટબંધી બાદ ઘણી જગ્યાએથી પૈસા મળવાના સમાચાર આવ્યા છે જેમાં આજે તમિલનાડુના વેલ્લોરમાંથી 24 કરોડ, 9 ડિસેમ્બરે મુંબઇમાંથી 72 લાખ, ગુડગાવમાંથી 17 લાખ, સુરતમાંથી 76 લાખ, ચેન્નઇમાંથી 10 કરોડ, એમપીના હોશંગાબાદમાંથી 40 લાખ, ગોવામાંથી દોઢ કરોડ, કર્ણાટકના ઉડીપીમાંથી 71 લાખ અને તમિલનાડુના કોઇમ્બતુરમાંથી 1 કરોડ રુપિયા, 20 નવેમ્બરે ગુજરાતમાંથી 10 લાખ અને સાબરકાંઠામાંથી 8 લાખ રુપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.

20 દિવસમાં 200 કરોડ જપ્ત

તમામ આંકડા મુજબ અત્યાર સુધીમાં માત્ર 20 દિવસની અંદર 200 કરોડ રુપિયા જપ્ત કરવામાં આવ્યા છે. વાસ્તવમાં જોવાની વાત એ રહેશે કે આ બેંકના કર્મચારીઓ પર સરકાર કેવી રીતે પગલા લે છે અને 30 ડિસેમ્બર બાદ આ ગોરખધંધા કેવી રીતે બંધ થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X