અરુણ જેટલીને મનાવવા તેમના ઘરે પહોંચ્યા મોદી, આ વાત કરી શકે
અરુણ જેટલીને મનાવવા તેમના ઘરે પહોંચ્યા મોદી, આ વાત કરી શકે
નવી દિલ્હીઃ 30 મેના રોજ શપથ ગ્રહણ સમારોહ પહેલા એનડીએ નેતાઓ વચ્ચે કેબિનેટની રચનાને લઈ બેઠકોનો સિલસિલો ચાલુ છે. આજે પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ વચ્ચે 4 કલાકની મેરેથોન બેઠક થઈ. જ્યારે આ દરમિયાન પીએમ મોદી આજે નાણામંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરવા તેમના આવાસે પહોંચ્યા છે. સતત કેબિનેટ બેઠકો અને નેતાઓની સાથે મુલાકાતને લઈ પીએમ મોદી અરુણ જેટલી સાથે પોતાના ફેસલા પર પુનર્વિચાર કરવા અને સરકારમાં બન્યા રહેવાની વાત કહી શકે છે.
જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પીએમ મોદીને ચિઠ્ઠી લખીને અપીલ કરી છે કે તેમને મંત્રી બનાવવાનો વિચાર કરવામાં ન આવે. અરુણ જેટલીએ સ્વાસ્થ્ય કારણોનો હવાલો આપતા કહ્યું કે પાછલા 18 મહિનાથી તેમની તબિયત ખરાબ છે એવામાં તેઓ જવાબદારી નહિ નિભાવી શકે. એવામાં તેમને મંત્રી બનાવવાનો વિચાર કરવામાં ન આવે.
પીએમ મોદીનું શપથ ગ્રહણઃ ક્યારે અને કેવી રીતે જોશો, જાણો બધું
Sources: Prime Minister Narendra Modi will drive down to Arun Jaitley's residence around 8.30 PM today. PM is likely to ask Arun Jaitley to reconsider his earlier decision and remain in Government. pic.twitter.com/QgaEgyODq6
— ANI (@ANI) May 29, 2019