Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન?
PM Modi Virtual Meeting with CM: પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ અને ઈરાન-અમેરિકા યુદ્ધની ગંભીર સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટું પગલું ભર્યું છે. વડાપ્રધાન શુક્રવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક વર્ચ્યુઅલ બેઠક (Virtual Meeting) યોજશે.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક સંકટને કારણે ભારતમાં ઊભી થનારી સંભવિત અસરો અને પડકારોના ઉકેલ માટે 'ટીમ ઇન્ડિયા'ની ભાવના સાથે એક સમાન વ્યૂહરચના તૈયાર કરવાનો છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, જે રાજ્યોમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યાંના મુખ્યમંત્રીઓ આ મહત્વપૂર્ણ ચર્ચામાં સામેલ થાય તેવી શક્યતા ઓછી છે.

સપ્લાય ચેઈન અને ઉર્જા સુરક્ષા પર રહેશે ફોકસ
આ બેઠકનો એજન્ડા સંપૂર્ણપણે યુદ્ધની આર્થિક અને વ્યૂહાત્મક અસરો પર કેન્દ્રિત રહેશે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે રાજ્ય સરકારો સાથે મળીને એક સંકલિત અભિગમ (Unified Approach) અપનાવવામાં આવે જેથી દેશના સામાન્ય નાગરિકો, ખાસ કરીને ગરીબો અને ખેડૂતોને આ વૈશ્વિક સંકટની આંચથી બચાવી શકાય.
બેઠકના મુખ્ય મુદ્દાઓ
- ઈંધણ અને ગેસ: ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો અને સપ્લાય ચેઈનમાં આવતા અવરોધોનું સંચાલન કરવું.
- ખાતર અને ફર્ટિલાઈઝર: ખેડૂતો માટે ખાતરની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી.
- મોંઘવારી પર લગામ: આવશ્યક ચીજવસ્તુઓના ભાવને નિયંત્રિત રાખવા માટે રાજ્યો સાથે સમન્વય.
ચૂંટણીવાળા રાજ્યોના CM કેમ રહેશે ગેરહાજર?
એપ્રિલ અને મે 2026માં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણી પંચના નિયમો મુજબ આ રાજ્યોના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં ભાગ લેશે નહીં. વહીવટી સાતત્ય જાળવી રાખવા માટે આ રાજ્યોના મુખ્ય સચિવો (Chief Secretaries) સાથે કેબિનેટ સચિવાલય અલગથી વાતચીત કરશે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ બેઠકમાં સામેલ થવાની પુષ્ટિ કરી છે અને લોકોને ઈંધણનું પેનિક બુકિંગ ન કરવા અપીલ કરી છે.
7 Empowered Groups India Energy Security: કોરોનાની જેમ '7 એમ્પાવર્ડ ગ્રુપ્સ' સક્રિય
વડાપ્રધાન મોદીએ આ સંકટને પહોંચી વળવા માટે એક મજબૂત માળખું તૈયાર કર્યું છે. સરકારે સાત અધિકાર પ્રાપ્ત જૂથો (Empowered Groups) ની રચના કરી છે, જે બરાબર એ જ રીતે કામ કરશે જે રીતે કોવિડ-19 મહામારી દરમિયાન કરવામાં આવ્યું હતું. આ જૂથો ઈંધણ, સપ્લાય ચેઈન (Supply Chain), ખાતર અને ફુગાવો (Inflation) જેવા મહત્વના ક્ષેત્રો પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.
PM મોદીનો સંસદમાં સંદેશ: 'સતર્કતા જ બચાવ છે'
તાજેતરમાં સંસદને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર સાવધ વલણ અપનાવ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે આ યુદ્ધ એક ગંભીર વૈશ્વિક ઉર્જા સંકટને જન્મ આપી શકે છે, જેના પરિણામો લાંબા સમય સુધી ભોગવવા પડી શકે છે.
પીએમએ દેશવાસીઓને સંભવિત અવરોધો માટે તૈયાર રહેવા વિનંતી કરી હતી અને ખાતરી આપી હતી કે સરકાર ભારત પર પડતી અસર ઘટાડવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. ભારતે સતત મુત્સદ્દીગીરી અને તણાવ ઘટાડવા (De-escalation) ના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે. વડાપ્રધાને ખાસ ભાર મૂક્યો છે કે સંકટના આ સમયમાં ખેડૂતોને રક્ષણ આપવું અને ગરીબ તથા શ્રમિકો સુધી આવશ્યક વસ્તુઓની પહોંચ સુનિશ્ચિત કરવી અનિવાર્ય છે.












Click it and Unblock the Notifications
