Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેમ વાયરલ થઇ રહી છે આ IAS ઓફિસરની તસવીર?

આજના 'મન કી બાત' કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, 17-18 ફેબ્રુઆરીના રોજ હૈદ્રાબાદમાં ટોયલેટ પિટ એંપટિંગ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના રવિવારના 'મન કી બાત' કાર્યક્રમના તુરંત બાદ એક આઇએએસ અધિકારીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ એ જ અધિકારી છે, જેનો નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યક્રમમાં સ્વચ્છતાના મુદ્દે ઉલ્લેખ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં ટ્વિટ પિટ ટોયલેટનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, કઇ રીતે એક આઇએએસ અધિકારીએ તેને પ્રમોટ કરવા જાતે જ ગટરમાં ઉતરવાની પહેલ કરી.

ias officer

આ એ જ આઇએએસ અધિકારી ની તસવીર છે. તેમનું નામ પરમ ઐયર છે. આ તસવીરમાં ઐયર એક ટ્વિટ પિટ ટોયલેટની સફાઇ કરતાં નજરે પડી રહ્યાં છે. આ તસવીર ઓફિસરે જાતે 18 ફેબ્રુઆરીના રોજ ટ્વીટ કરી હતી અને જણાવ્યું હતું કે તેમણે કઇ રીતે ગંગાદેવીપલ્લી ગામમાં લોકોને જણાવ્યું કે ટ્વિટ પિટ ટોયલેટની સફાઇ કરવી સુરક્ષિત અને સ્વચ્છ કામ છે.

શું કહ્યું હતું પીએમ મોદીએ?

આજના 'મન કી બાત' કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, 17-18 ફેબ્રુઆરીના રોજ હૈદ્રાબાદમાં ટોયલેટ પિટ એંપટિંગ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું. મોદીએ કહ્યું કે, આ પ્રયાસનું પરિણામ એ આવ્યું કે, દેશના મીડિયાએ આ પ્રસંગનો ખૂબ પ્રચાર કર્યો અને તેને મહત્વ પણ આપ્યું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X