રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા પીએમ મોદી, રશિયા-યુક્રેન સંકટની આપી જાણકારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને અનેક મુદ્દાઓ પર માહિતગાર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિને રશિયા-યુક્રેન યુદ્ધ અંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને અનેક મુદ્દાઓ પર માહિતગાર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિને રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પણ જાણકારી આપી છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને આ દરમિયાન યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ચારેય કેન્દ્રીય મંત્રીઓ યુક્રેનના પડોશી દેશોની મુલાકાત લેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય મંત્રીઓ યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં મદદ કરશે.

ચાર મંત્રીઓમાં હરદીપ પુરી હંગેરી જશે જ્યારે વીકે સિંહ પોલેન્ડ જશે અને યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવામાં મદદ કરશે. આ સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા અને મોલ્ડોવામાં ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરશે જ્યારે કિરેન રિજિજુ સ્લોવાકિયામાં ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરશે. નોંધનીય છે કે આ યુક્રેનના પડોશી દેશો દ્વારા ભારતીય નાગરિકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કેન્દ્રીય પ્રધાનો હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ, વીકે સિંહ, વિદેશ પ્રધાન એસ જયશંકર, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. યુક્રેનમાં ફસાયેલા 182 નાગરિકો સાથે મંગળવારે સવારે ભારત પહોંચ્યા. ભારત ઓપરેશન ગંગા ચલાવી રહ્યું છે, જે અંતર્ગત યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ભારત લાવવામાં આવી રહ્યા છે. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો, ત્યારથી ત્યાંથી ભારતીયોને ભારત લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
