પીએમ મોદી આજે વારાણસીને આપશે 614 કરોડની 37 પરિયોજનાની દિવાળી ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 614 કરોડની 37 પરિયોજનાઓનુ ઉદઘાટન કરીને વારાણસીને દિવાળીની ભેટ આપવાના છે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમવાર(9 નવેમ્બર) 614 કરોડની 37 પરિયોજનાઓનુ ઉદઘાટન કરીને વારાણસીને દિવાળીની ભેટ આપવાના છે. પીએમ મોદી સોમવારની સવારે લગભગ સાડા દસ વાગે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી 37 અલગ અલગ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ દરમિયાન વર્ચ્યુઅલ માધ્યમથી આ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સાથે હાજર હશે. આ માહિતી પીએમઓ તરફથી વારાણસીના જિલ્લાધિકારી ઓફિસને આપવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ આના માટે ટ્વિટ કરીને રવિવારે(8 નવેમ્બર) લખ્યુ, 'વારાણસીની વિકાસ યાત્રામાં કાલે એક મહત્વપૂર્ણ અધ્યાય જોડાવાનો છે. સવારે 10.30 વાગે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ઘણી પરિયોજનાઓનુ ઉદઘાટન અને શિલાન્યાસ કરીશુ. આમાં કૃષિ તેમજ પર્યટન સાથે પાયાગત સુવિધાઓ સાથે જોડાયેલા અન્ય પ્રોજેક્ટ પણ શામેલ છે. '
वाराणसी की विकास यात्रा में कल एक महत्वपूर्ण अध्याय जुड़ने वाला है। सुबह 10.30 बजे वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से कई परियोजनाओं का उद्घाटन और शिलान्यास करूंगा। इनमें कृषि एवं पर्यटन के साथ बुनियादी सुविधाओं से जुड़े अन्य प्रोजेक्ट भी शामिल हैं। https://t.co/NNGSpr7ObU
— Narendra Modi (@narendramodi) November 8, 2020
ટ્રમ્પ બોલ્યાઃ આ એક ચોર છે, આ ચોરીની ચૂંટણી હતી