કટોકટીની 43 મી પુણ્યતિથિ પર પીએમ મોદીઃ ‘એ ઈતિહાસનો કાળો અધ્યાય'
પીએમ મોદીએ કટોકટીની 43 મી પુણ્યતિથિ પર ટ્વિટ કરતા કહ્યુ કે જે લોકોએ કટોકટીનો વિરોધ કર્યો હતો તેમને હું સલામ કરુ છુ.
દેશમાં કટોકટીના 43 વર્ષો બાદ પણ જ્યારે જ્યારે લોકતંત્રની સલામતીની વાત થાય છે ત્યારે ઈતિહાસના પાનાં પલટાઈ જાય છે. સોમવારનો દિવસ પણ એવો જ એક દિવસ હતો જ્યારે ભાજપે કટોકટીને લઈને કોંગ્રેસ પર ચારે તરફથી હુમલા કર્યા અને આમાં પીએમ મોદી પણ પાછળ ન રહ્યા. પીએમ મોદીએ ટ્વિટ કરીને કોંગ્રેસ પર હુમલો કર્યો અને તેને એક કાળો અધ્યાય ગણાવ્યો.

કટોકટીની 43 મી પુણયતિથિ
પીએમ મોદીએ કટોકટીની 43 મી પુણ્યતિથિ પર ટ્વિટ કરતા કહ્યુ કે જે લોકોએ કટોકટીનો વિરોધ કર્યો હતો તેમને હું સલામ કરુ છુ. પીએમ મોદીએ સોમવારે મુંબઈમાં ભાજપના એક કાર્યક્રમમાં 1975 માં કટોકટી સામે લડનારા લોકો સાથે મુલાકાત કરી હતી.
|
ભારત કટોકટીને અંધારા રૂપે યાદ કરે છે
પીએમ મોદીએ બીજા ટ્વિટમાં કહ્યુ કે ભારત કટોકટીને અંધારાના રૂપમાં યાદ કરે છે જે દરમિયાન દરેક સંસ્થાને તોડી દેવામાં આવી હતી અને ડરનો માહોલ બનાવવામાં આવ્યો હતો,. તેમણે કહ્યુ કે આ દરમિયાન માત્ર લોકોને નહિ પરંતુ વિચારો અને કલાત્મક સ્વતંત્રતાને પણ રાજકારણ માટે બંધક બનાવી દેવામાં આવી હતી.
|
લોકતાંત્રિક આસ્થાને મજબૂત બનાવવા માટે કામ કરો
પીએમ મોદીએ ત્રીજા ટ્વિટમાં કહ્યુ કે, "આવો આપણે આપણી લોકતાંત્રિક આસ્થાને મજબૂત બનાવવા માટે કામ કરીએ. લેખન, ચર્ચા વિચારણા આપણા લોકતંત્રના મહત્વપૂર્ણ હિસ્સા છે. જેના પર અમને ગર્વ છે. કોઈ પણ આપણા સંવિધાનના પાયાગત સિધ્ધાંતોને ક્યારેય પણ ઓછા ન કરી શકે."
|
26 જૂન, 1975 માં કટોકટીની ઘોષણા કરવામાં આવી હતી
કટોકટી અંગે પોતાના બ્લોગમા અરુણ જેટલીએ પણ લખ્યુ છે. જેને પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર શેર કર્યુ હતુ. ઇન્દિરા ગાંધીએ ભારતને વંશવાદી લોકતંત્રમાં બદલવા માટે પગલુ ઉઠાવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે ઈન્દિરા ગાંધી 1966 થી 1984 વચ્ચે સત્તામાં રહ્યા. જ્યારે 26 જૂન, 1975 માં કટોકટીનો આદેશ આપ્યો હતો.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
