કટોકટીની 43 મી પુણ્યતિથિ પર પીએમ મોદીઃ ‘એ ઈતિહાસનો કાળો અધ્યાય'
પીએમ મોદીએ કટોકટીની 43 મી પુણ્યતિથિ પર ટ્વિટ કરતા કહ્યુ કે જે લોકોએ કટોકટીનો વિરોધ કર્યો હતો તેમને હું સલામ કરુ છુ.
દેશમાં કટોકટીના 43 વર્ષો બાદ પણ જ્યારે જ્યારે લોકતંત્રની સલામતીની વાત થાય છે ત્યારે ઈતિહાસના પાનાં પલટાઈ જાય છે. સોમવારનો દિવસ પણ એવો જ એક દિવસ હતો જ્યારે ભાજપે કટોકટીને લઈને કોંગ્રેસ પર ચારે તરફથી હુમલા કર્યા અને આમાં પીએમ મોદી પણ પાછળ ન રહ્યા. પીએમ મોદીએ ટ્વિટ કરીને કોંગ્રેસ પર હુમલો કર્યો અને તેને એક કાળો અધ્યાય ગણાવ્યો.

કટોકટીની 43 મી પુણયતિથિ
પીએમ મોદીએ કટોકટીની 43 મી પુણ્યતિથિ પર ટ્વિટ કરતા કહ્યુ કે જે લોકોએ કટોકટીનો વિરોધ કર્યો હતો તેમને હું સલામ કરુ છુ. પીએમ મોદીએ સોમવારે મુંબઈમાં ભાજપના એક કાર્યક્રમમાં 1975 માં કટોકટી સામે લડનારા લોકો સાથે મુલાકાત કરી હતી.
|
ભારત કટોકટીને અંધારા રૂપે યાદ કરે છે
પીએમ મોદીએ બીજા ટ્વિટમાં કહ્યુ કે ભારત કટોકટીને અંધારાના રૂપમાં યાદ કરે છે જે દરમિયાન દરેક સંસ્થાને તોડી દેવામાં આવી હતી અને ડરનો માહોલ બનાવવામાં આવ્યો હતો,. તેમણે કહ્યુ કે આ દરમિયાન માત્ર લોકોને નહિ પરંતુ વિચારો અને કલાત્મક સ્વતંત્રતાને પણ રાજકારણ માટે બંધક બનાવી દેવામાં આવી હતી.
|
લોકતાંત્રિક આસ્થાને મજબૂત બનાવવા માટે કામ કરો
પીએમ મોદીએ ત્રીજા ટ્વિટમાં કહ્યુ કે, "આવો આપણે આપણી લોકતાંત્રિક આસ્થાને મજબૂત બનાવવા માટે કામ કરીએ. લેખન, ચર્ચા વિચારણા આપણા લોકતંત્રના મહત્વપૂર્ણ હિસ્સા છે. જેના પર અમને ગર્વ છે. કોઈ પણ આપણા સંવિધાનના પાયાગત સિધ્ધાંતોને ક્યારેય પણ ઓછા ન કરી શકે."
|
26 જૂન, 1975 માં કટોકટીની ઘોષણા કરવામાં આવી હતી
કટોકટી અંગે પોતાના બ્લોગમા અરુણ જેટલીએ પણ લખ્યુ છે. જેને પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર શેર કર્યુ હતુ. ઇન્દિરા ગાંધીએ ભારતને વંશવાદી લોકતંત્રમાં બદલવા માટે પગલુ ઉઠાવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે ઈન્દિરા ગાંધી 1966 થી 1984 વચ્ચે સત્તામાં રહ્યા. જ્યારે 26 જૂન, 1975 માં કટોકટીનો આદેશ આપ્યો હતો.
-
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?










Click it and Unblock the Notifications
