PM Modi આજે લખનઉના પ્રવાસે, 75 હજાર લોકોને તેમના સપનાના ઘરની ચાવીઓ સોંપશે
PM Modi આજે લખનઉના પ્રવાસે, 75 હજાર લોકોને તેમના સપનાના ઘરની ચાવીઓ સોંપશે
ન્યૂ ઈન્ડિય અર્બન કૉન્કલેવનું ઉદ્ઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (5 ઓક્ટોબરે) ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ પહોંચી રહ્યા છે. પીએમ મોદી અહીં 10:30 વાગ્યે કાર્યક્રમ સ્થળ ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન પહોંચશે અને કાર્યક્રમનો શુભારંભ કરશે. એટલું જ નહીં, પીએમ યૂપીના 75 જિલ્લાના પ્રધાનમંત્રી શહેરી વિકાસ યોજનાના 75 હજાર લાભાર્થીઓને ડિજિટલ માધ્યમથી ઘરની ચાવીઓ સોંપશે. આ કાર્યક્રમ કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય અને નગર વિકકાસ વિભાગ તરફથી આયોજિત કરવામાં આવ્યો છે, જે ત્રણ દિવસ સુધી ચાલશે.

FAME-II અંતર્ગત લખનઉ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ, ગોરખપુર, ઝાંસી અને ગાઝિયાબાદ સહિત સાત શહેરો માટે 75 બસને લીલી ઝંડી દેખાડી રવાના કરશે. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી એક કૉફી ટેબલ બુકનું વિમોચન કરસે જેમાં આવાસ અને શહેરી મામલાના મંત્રાલય અંતર્ગત કાર્યાન્વિત 75 પરિયોજનાઓ વિશે જણાવવામાં આવશે. જણાવી દઈએ કે ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં થનાર આ કાર્યક્રમમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી ડૉ મહેન્દ્ર નાથ પાંડેય, હરદીપ સિંહ પુરી, કૌશલ કિશોર સહિત દેશના તમામ રાજ્યોના નગર વિકાસ મંત્રી અને વિવિધ વિભાગોના પ્રમુખ અધિકારીઓ પણ હાજર રહેશે.
જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી આ એક્સપોમાં લગાવવામાં આવી રહેલ ત્રણ પ્રદર્શનિઓનું પણ અવલોકન કરશે. પીએમ મોદી બાબાસાહેબ ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલય, લખનઉમાં અટલ બિહારી વાજપેયી પીઠની સ્થાપનાની પણ ઘોષણા કરશે. આ કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રી, યૂપીના રાજ્યપાલ અને સીએમ યોગી આદિત્યનાથ હાજર રહેશે. જણાવી દઈએ કે આઝાદીના 75મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં આવાસ અને શહેરી મામલાના મંત્રાલય દ્વારા આ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ એક્સપો 5થી 7 ઓક્ટોબર સુધી ચાલશે. ઉપરાંત આ એક્સપોમાં યૂપી સરકારની વિવિધ પરિયોજનાઓ અને તેનાથી આવેલ બદલાવોનું પ્રદર્શન કરવામાં આવશે.
આ પણ વાંચોઃ
આ એક્સપોની થીમ ન્યૂ અર્બન ઈન્ડિયા રાખવામાં આવી છે. આ એક્સપોમાં શહેરી વિકાસ મંત્રાલયની ઉપલબ્ધિઓ અને તેની ભવિષ્યની યોજનાઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત તેને કંસ્ટ્રક્શનના ક્ષેત્રમાં મીલનો પથ્થર સાબિત તનાર 75 ઈનોવેટિવ કંસ્ટ્રક્શન ટેક્નોલોજીનું પણ આ એક્સપોમાં પ્રદર્શન કરવામાં આવનાર છે.
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે







Click it and Unblock the Notifications
