જો અનૌપચારિક વાતચીતમાં ચીને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો તો?
જો અનૌપચારિક વાતચીતમાં ચીને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો તો?
નવી દિલ્હીઃ ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ સાથે થનાર પીએમ મોદીની ઔપચારિક મુલાકાત બાદ કોઈ નિવેદન જાહેર નહિ થાય કે કોઈ સમજૂતી પર હસ્તાક્ષર પણ નહિ થાય છતાં આ બેઠક અતિ મહત્વની છે. ભારત આવતા પહેલા ચીનના પ્રેસિડેન્ટની મુલાકાત પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે બુધવારે થઈ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં સ્થિતિ પર ચીન દ્વારા આ મામલાને ઉકેલી શકાય છે. બેઠક દરમિયાન ચીનના પ્રેસિડેન્ટે ઈમરાન ખાનનને ભરોસો અપાવ્યો કે આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય હાલાતમાં બદલાવો છતાં ચીન અને પાકિસ્તાન વચ્ચે મિત્રતા અતૂટ અને પહાડની જેમ મજબૂત છે. પરંતુ ચીની પ્રેસિડેન્ટના આ નિવેદન પર ભારતે આકરું નિવેદન આપ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે આ સંપૂર્ણ રીતે ભારતનો આંતરિક અને સંપ્રભુતાનો મામલો છે અને ભારતીય સંવિધાન સાથે જોડાયેલ છે. કોઈપણ અન્ય દેશને આની જોડે કોઈ લેવાદેવા નથી.

જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, 'ભારતનો પક્ષ અટલ બનેલો છે અને સ્પષ્ટ છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે. ચીન અમારા પક્ષથી સારી રીતે વાકેફ છે. ભારતના આંતરિક મામલા પર કોઈ અન્ય દેશને ટિપ્પણી કરવાનો હક નથી.' સાથે જ તેમણે કહ્યું કે 11-12 ઓક્ટોબરે થનાર શી-મોદીની વાતચીતમાં કાશ્મીર અને અનુચ્છેદ 370નો મામલો સામેલ નથી અને જો શી મામલા વિશે વધુ જાણવા માંગશે તો તેમને વિસ્તૃત જાણકારી આપવાાં આવશે.

કાશ્મીરનો મુદ્દ ઉઠાવ્યો તો?
આવી જ રીતે કેટલાક મહિના પહેલા ફ્રાંસમાં આયોજિત જી-20 સંમેલનમાંથી જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએણ મોદીની મુલાકાત થનાર હતી તો તે પહેલા અમેરિકાના પ્રેસિડેન્ટે જમ્મુ અને કાશ્મીરના મુદ્દા પર મધ્યસ્થતા કરવાનો રાગ આલોપ્યો હતો. તેમના આ નિવેદન બાદ આ બેઠક અતિ મહત્વપૂર્ણ થઈ ગઈ હતી પરંતુ પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠકમાં સ્પષ્ટ કરી દીધું હતું કે જમ્મુ અને કાશ્મીર પર ભારત કોઈપણ ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ નથી ઈચ્છતું. સાથે જ એમ પણ કહી દીધું હતું કે અનુચ્છેદ 370 હટાવવો ભારતનો આંતરિક મામલો છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન 1947 પહેલા સાથે હતા અને તેમને વિશ્વાસ છે કે બંને પાડોસી પોતાની સમસ્યાઓ પર ચર્ચા કરી તેમનું સમાધાન કરી શકે છે. પીએમ મોદીએ કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાની જરૂરીયાતને ફગાવી દીધી હત અને કહ્યું કે બંને દેશ તમામ મુદ્દે ચર્ચા કરી સમાધાન કરી શકે છે.

ભારતે પહેલા પણ સ્પષ્ટ કરી દીધું
જો કે મહાબલિપુરમમાં પીએમ મોદી અને ચીનના પ્રેસિડેન્ટ સાથે થનાર બેઠકમાં કાશ્મીર એજન્ડામાં નહિ પરંતુ આ અનૌપચારિક મુલાકાત છે માટે બની શકે છે કે સામાન્ય વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવી શકે. એવામાં એ વાત પર પણ નજર રહેશે કે પીએમ મોદીએ જેવી રીતે અમેરિકાના પ્રેસિડેન્ટને સમજાવી દીધું હતું તેમ જ ચીનના પ્રેસિડેન્ટને પણ જમ્મુ કાશ્મીર મુદ્દાથી અવગત કરાવી દેશે.
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું












Click it and Unblock the Notifications
