Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પીએમ મોદી અને રાહુલ ગાંધીએ દેશવાસીઓને આપી ઈદની શુભકામના

આજે દેશભરમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબી ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે.

નવી દિલ્લીઃ આજે દેશભરમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબી ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા રાજનેતાઓએ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે, 'મિલાદ-ઉન-નબી'ની શુભકામનાઓ. આશા છે કે આ દિવસે કરુણા અને ભાઈચારો જળવાઈ રહે. બધા લોકો સ્વસ્થ અને પ્રસન્ન રહે. ઈદ મુબારક!' વળી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં કહ્યુ છે, 'ઈદ-એ-મિલાદ-ઉન-નબીના પ્રસંગે દયા અને ભાઈચારીની ભાવના બધાનુ માર્ગદર્શન કરે. દિલથી શુભકામના, ઈદ-એ-મિલાદ-ઉન-નબીના દિલથી મુબારકબાદ!'

modi-rahul

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને કહ્યુ છે, 'મિલાદ-ઉન-નબી પર શુભકામનાઓ. આ તહેવાર બધાે આપણા સમાજમાં સદભાવ અને સૌહાર્દના બંધનને મજબૂત કરવાની દિશામાં કામ કરવા માટે પ્રેરિત કરે.' તમને જણાવી દઈએ કે ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો તહેવાર દર વર્ષે પેગમ્બર મોહમ્મદના જન્મ દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે લોકોને અલ્લાહના અંતિમ પેગમ્બરની જીવની વિશે માહિતી આપવામાં આવે છે. ઉજવણીની શરૂઆત ઈસ્લામી કેલેન્ડરના ત્રીજા મહિને રબી અવ્વુલમાં થાય છે. આ દિવસે મુસ્લિમ સમાજના લોકો જલસા અને જૂલુસનુ પણ આયોજન કરે છે. તે પોતાના ઘરોને સજાવે છે અને કુરાનની ઈબાદત કરે છે.

આ દિવસે ગરીબોને દાન પણ આપવામાં આવે છે. આ ખાસ પ્રસંગે હૈદરાબાદમાં રેલી અને પરેડનુ આયોજન પણ થાય છે. આ વર્ષે કોરોના વાયરસ મહામારીના કારણે આ ઉજવણી પહેલાથી થોડી ફીકી છે. ઈદ મિલાદુન્નબી આ વર્ષે સાંજથી શરૂ થઈ રહ્યો અને અને આગલા દિવસે સાંજે ખતમ થશે. તેને બધા મુસ્લિમ દેશોમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. જો કે ઈસ્લામમાં ઈદ-ઉલ-ફિતર અને ઈદ-ઉલ-અજહાને વિશેષ માનવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X