કાલીગંજમાં બોલ્યાં મમતા બેનરજી- દેશમાં કોરોનાની બીજે લહેર માટે પીએમ મોદી જવાબદાર
કાલીગંજમાં બોલ્યાં મમતા બેનરજી- દેશમાં કોરોનાની બીજે લહેર માટે પીએમ મોદી જવાબદાર
પશ્ચિમ બંગાળના કાલીગંજમાં એટીએમસી પ્રમુખ મમતા બેનરજીએ દેશમાં કોરોનાની ભયાનક સ્થિતિને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમમે કહ્યું કે પાછલા 6 મહિનામાં કોરોનાને લઈ પીએમ મોદીએ કોઈ રણનીતિ કેમ નથી બનાવી? તમારે આનો જવાબ આપવો પડશે. દેશમાં કોરોનાની બીજી લહેર માટે પીએમ જવાબદાર છે. જો તેમણે યોગ્ય સમય પગલાં ઉઠાવ્યાં હોત તો આ નોબત ના આવત.

અગાઉ રવિવારે મમતા બેનરજડીએ બૈરકપુરમાં ચૂંટણી રેલી દરમ્યાન પણ પીએમ મોદી પર દેશમાં કોરોનાના વધતા મામલાને લઈ નિશાન સાધ્યું હતું. રેલી દરમ્યાન તેમણે કહ્યું હતું કે પીએમ મોદી કોરોનાની બીજી લહેર સંભાળી નથી શકતા, તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન સંક્રમણના મામલાની સંખ્યા રોકવાની યોજના બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. મમતા બેનરજીએ કહ્યું કે મોદીએ પાછલા પાંચ-છ મહિનામાં મેડિલ ઑક્સીજન અને રસીની સપ્લાઈના સંભાવિત સંકટ પર ધ્યાન આપવા માટે કંઈ નથી કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે પોતાના દેશમાં રસીની કમી છતાં વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છબી ચમકાવવા માટે બીજા દેશમાં રસીનું એક્સપોર્ટ કર્યું.
ટીએમસી પ્રમુખે કહ્યું કે દેશમાં કોરોનાના વર્તમાન હાલાત માટે પીએમ જ જવાબદાર છે. તેમણે આ વર્ષ માટે કોઈ પ્રશાસનિક યોજના નથી બનાવી. તેમણે આગળ કહ્યું કે ભાજપે ગુજરાત, પશ્ચિમ બંગાળ સહિત આખા દેશને આ સ્થિતિ પર લાવીને ઉભો કરી દીધો છે. બીજા દેશોને કોરોના વેક્સીન આપવાને લઈ તેમણે કહ્યું કે આખી દુનિયાની મદદ કરી રહ્યા છે તેમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ પહેલા આપણા દેશની જરૂરતો પૂરી કરો. તમને માત્ર વૈશ્વિક સમુદાયોમાં સારી છબી ચમકાવવાની ચિંતા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 2.74 લાખ નવા મામલા સામે આવ્યા છે, જે દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના મામલા છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
