મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીની જયંતિ પર PM મોદીએ આપી વિનમ્ર શ્રદ્ધાંજલિ, સોનિયા ગાંધી પહોંચ્યા રાજઘાટ
ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીની આજે 2 ઓક્ટોબરે જયંતિ છે.
નવી દિલ્લીઃ ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીની આજે 2 ઓક્ટોબરે જયંતિ છે. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિએ રાજઘાટ પહોંચીને પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી જયંતિ અને લાલ બહાદૂર શાસ્ત્રીની જયંતિ પર ટ્વિટ કરીને વિનમ્ર શ્રદ્ધાંલિ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિ પર ટ્વિટ કરીને લખ્યુ છે, 'રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને તેમની જયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. પૂજ્યુ બાપૂનુ જીવન અને આદર્શ દેશની દરેક પેઢીને કર્તવ્ય પથ પર ચાલવા માટે પ્રેરિત કરતા રહેશે.'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગળ લખ્યુ, 'ગાંધી જયંતિ પર હું આદરણીય બાપૂને નમન કરુ છુ. તેમના મહાન સિદ્ધાંત વિશ્વ સ્તરે પ્રાસંગિક છે અને લાખો લોકોને તાકાત આપે છે.' લાલ બહાદૂર શાસ્ત્રીની જયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યુ, 'પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીજીને તેમની જયંતિ પર શત-શત નમન. મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત તેમનુ જીવન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.'
જાણો કેવી રીતે આપી મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ
- કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી શનિવાર(2 ઓક્ટોબર)ની સવારે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા. અહીં સોનિયા ગાંધીએ મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પિત કરી.
- દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગાંધી જયંતિના અવસર પર રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
- સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ગાંધી જયંતિ પર ટ્વિટ કરીને કહ્યુ, 'હું ગાંધી જયંતિ પર પૂજ્ય બાપીને નમન કરુ છુ. જબરદસ્ત ઈચ્છાશક્તિ અને અપાર જ્ઞાનના ધની એક વિશાળ વ્યક્તિત્વએ ભારતના સ્વતંત્રતા આંદોલનને અનુકરણીય નેતૃત્વ પ્રદાન કર્યુ. આવો, આપણે તેમની જયંતિ પર ખુદને સ્વચ્છતા અને આત્મનિર્ભર ભારત માટે ફરીથી સમર્પિત કરીએ.'
વળી, લાલ બહાદૂરશાસ્ત્રીજીની જયંતિ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યુ, 'ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને સાદગી તથા સરળતાની પ્રતિમૂર્તિ, લાલ બહાદૂર શાસ્ત્રીજીને તેમની જયંતિ પર હું સ્મરણ તેમજ નમન કરુ છુ. તે ભારતની આત્માને સારી રીતે સમજતા હતા. દેશના ખેડૂતો અને જવાનોના સમ્માન અને સ્વાભિમાનને તેમણે પૂરુ માન આપ્યુ. લાલ બહાદૂર શાસ્ત્રીજી તેમની જયંતિ પર પુનઃ નમન.'
राष्ट्रपिता महात्मा गांधी को उनकी जन्म-जयंती पर विनम्र श्रद्धांजलि। पूज्य बापू का जीवन और आदर्श देश की हर पीढ़ी को कर्तव्य पथ पर चलने के लिए प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) October 2, 2021
I bow to respected Bapu on Gandhi Jayanti. His noble principles are globally relevant and give strength to millions.
#WATCH Prime Minister Narendra Modi pays floral tributes to Mahatma Gandhi at Rajghat on #GandhiJayanti pic.twitter.com/GE63jP2Nhe
— ANI (@ANI) October 2, 2021
Congress interim president Sonia Gandhi pays floral tribute to Mahatma Gandhi at Rajghat #GandhiJayanti pic.twitter.com/S6hSTzPwHP
— ANI (@ANI) October 2, 2021












Click it and Unblock the Notifications
