મોદીના આવતાં જ એરપોર્ટ પર ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા
નવી દિલ્હી, 27 મે: વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો કાર્યભાર સંભાળતાં જ સૌથી પહેલાં મહિલાઓ અને ઘરડાં પરિવારજનો માટે એક વિશેષ વ્યવસ્થા માટે એક વિશેષ વ્યવસ્થા કરવાનો આદેશ આપી દિધો છે. નરેન્દ્ર મોદીના આદેશ પર ડીજીસીએએ તત્કાલિક અસરથી બધી એરલાઇન્સોને સખત નિર્દેશ આપી દિધા છે કે કોઇપણ ગર્ભવતી મહિલા, વૃદ્ધ તથા વિકલાંગજનો માટે એરપોર્ટ સાથે ટર્મિનલ સુધી જવા માટે નિશુલ્ક સ્વચાલિત બોગી ચલાવવામાં આવે.
ડીજીસીએએ એરલાઇન્સોને મુસાફરો સાથે શિષ્ટાચાર સાથે વર્તવાનો આદેશ પણ આપ્યો છે. ડીસીજીએએ 2014ના વાયુ પરિવહન પરિપત્ર 1ના રૂપમાં હવાઇ મથકો પર વ્યાપક દિશાનિર્દેશ રજૂ કરવામાં આવ્યા છે. પરિપત્રમાં મુસાફરોની ફરિયાદોના સમાધાન અને યાત્રીઓની સાથે એરલાઇન્સ/હવાઇ મથક કર્મચારીઓના શિષ્ટ વ્યવહારને માનક રૂપ આપવા માટે ભાર મૂક્યો છે. આ દિશાનિર્દેશોમાં નિમ્નલિખિત બિંદુઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે.

એરલાઇન્સો/એરપોર્ટ સંચાલકોને મુખ્ય ક્ષેત્રોમાં પોતાના નોડલ અધિકારીઓ અને અપીલ અધિકૃતનું વિવરણ સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ યાત્રીઓને સંભાળવામાં લાગેલ એરલાઇન્સો/એરપોર્ટ સંચાલકોને ગ્રાઉંડ હૈંડલિંગ કર્મચારીઓને સમય-સમય પર મૃદુ વ્યવહાર, શિષ્ટાચાર અને યાત્રીઓની મદદ કરવાની ટ્રેનિંગ આપવી એરલાઇન્સો/એરપોર્ટ સંચાલકોને મુસાફરોની ફરિયાદો તથા દુવ્યવહાર, ખોટો વ્યવહાર અને મુસાફરોને પરેશાન કરવા તથા તેમની ફરિયાદો પર કાર્યવાહી પર કરવામાં આવેલી કાર્યવાહી વિશે દર મહિને રિપોર્ટ પણ આપવો પડશે.












Click it and Unblock the Notifications
