કોરોનાને લઈને PM નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક, અમિત શાહ પણ હાજર!

દેશમાં કોરોના વાયરસ રોગચાળા અંગે ચર્ચા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે.

નવી દિલ્હી, 13 જાન્યુઆરી : દેશમાં કોરોના વાયરસ રોગચાળા અંગે ચર્ચા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. ઝડપથી વધી રહેલા કોવિડ સંક્રમણ વચ્ચે પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠક યોજાઈ રહી છે. આ વર્ચ્યુઅલ મીટિંગમાં છત્તીસગઢ, રાજસ્થાન, ત્રિપુરા, પંજાબ, મણિપુર, પુડુચેરી અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય મંત્રી મનસુખ મડવિયા પણ હાજર છે.

PM Narendra Modi

છેલ્લા બે સપ્તાહમાં દેશમાં કોરોના સંક્રમણના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં દૈનિક કેસ બે લાખને વટાવી ગયા છે, જે ચોક્કસપણે ચિંતાનો વિષય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 13 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2 લાખ 47 હજાર નવા કેસ નોંધાયા છે. જે બાદ દેશમાં કોરોનાના કુલ કેસ 3,63,17,927 છે. દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓની સંખ્યા હવે 11 લાખને વટાવી ગઈ છે. બીજી તરફ 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 380 લોકોના મોત બાદ દેશમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 4 લાખ 85 હજાર થઈ ગયો છે.

દેશમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને 5,488 થઈ ગઈ છે. આ નવા વેરિઅન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 1,367 અને રાજસ્થાનમાં 792 કેસ છે. આ પછી દિલ્હીમાં 549, કેરળમાં 486, કર્ણાટકમાં 479, પશ્ચિમ બંગાળમાં 294 અને યુપીમાં 275 કેસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X