ટ્રમ્પના ટેરિફ વચ્ચે PM નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
Russia-Ukraine War: આજે (8 ઓગસ્ટ, 2025) ભારતના PM નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ પુતિને PM મોદી સાથે યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા કરી હતી અને દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી હતી. પીઆઈબીના સત્તાવાર નિવેદન મુજબ, રાષ્ટ્રપતિ પુતિને PM મોદીને યુક્રેન સંબંધિત તાજા ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી. આ પછી, PM મોદીએ પુતિનનો વિસ્તારથી આંકલન કરવા બદલ આભાર માન્યો અને રશિયા-યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાનના પક્ષમાં ભારતના સ્થાયી વલણની વાત ફરી એક વખત કરી હતી.

વાર્ષિક દ્વિપક્ષીય શિખર સંમેલનનું આમંત્રણ
PM Modi Speaks To Putin: વાતચીત દરમિયાન, બંને નેતાઓએ ભારત-રશિયા સંબંધો અને દ્વિપક્ષીય કાર્યસૂચિમાં થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી હતી અને બંને દેશો વચ્ચેની ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ ઉપરાંત, PM નરેન્દ્ર મોદીએ આ વર્ષના અંતમાં યોજાનારી ભારત-રશિયા વાર્ષિક દ્વિપક્ષીય શિખર સંમેલન માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ભારતની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું છે. રશિયન રાષ્ટ્રપતિની ભારત મુલાકાત પૂર્ણ થયા પછી, વેપાર, સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહયોગ વધારવા માટે એક નવી ગતિ મળવાની અપેક્ષા છે.
ટ્રમ્પના ટેરિફ વચ્ચે PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત
PM નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની આ વાતચીત બુધવારે (6 ઓગસ્ટ, 2025) ના રોજ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકા ડબલિંગ ટેરિફની જાહેરાત કર્યાના 2 દિવસ પછી થઈ. યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા સાથે વેપાર ભાગીદારી ચાલુ રાખવા અને સસ્તા ભાવે ક્રૂડ ઓઇલની સતત આયાત કરવા માટે ભારત પર 50% વધારાની ટેરિફની જાહેરાત કરી છે.
જોકે, ગયા અઠવાડિયે ટ્રમ્પે ભારત પર 25% વધારાની ટેરિફની જાહેરાત કરી હતી, પરંતુ 2 દિવસ પહેલા બુધવાર (6 ઓગસ્ટ)ના રોજ, ટ્રમ્પે અમેરિકાના આ પારસ્પરિક ટેરિફને બમણું કરીને ભારત પર વધુ 25% ટેરિફની જાહેરાત કરી.












Click it and Unblock the Notifications
