For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરતારપુર કૉરિડોરઃ પીએમ મોદી કરશે ચેકપોસ્ટનુ ઉદઘાટન, ગુરુદ્વારા બેર સાહેબમાં ટેકવશે માથુ

શ્રી ગુરુનાનક દેવજીના 550માં પ્રકાશ પર્વ પર પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબના દર્શન કરવા માટે કરતારપુર કૉરિડોરની એકીકૃત તપાસ ચોકી (આઈસીપી)નુ પ્રધાનમંત્રી આજે ઉદઘાટન કરશે.

|
Google Oneindia Gujarati News

આઝાદી મળવાના લગભગ સાત દાયકા બાદ સિખ શ્રદ્ધાળુ પાકિસ્તાન સ્થિત ઐતિહાસિક ગુરુદ્વારા કરતારપુર સાહિબમાં માથુ ટેકવી શકશે. શ્રી ગુરુનાનક દેવજીના 550માં પ્રકાશ પર્વ પર પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબના દર્શન કરવા માટે કરતારપુર કૉરિડોરની એકીકૃત તપાસ ચોકી (આઈસીપી)નુ પ્રધાનમંત્રી આજે ઉદઘાટન કરશે. જે ભારતના પંજાબમા ડેરા બાબા નાનક ગુરુદ્વારાને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નારોવાલ સ્થિત જિલ્લાના કરતારપુર સ્થિત દરબાર સાહિબ સાથે જોડશે. આ તરફ પાકિસ્તાન તરફથી પ્રધાનમંત્રી ઈમરાન ખાન કૉરિડોરનુ લોકાર્પણ કરશે.

pm modi

ઉદઘાટન પહેલા પીએમ મોદ સુલ્તાનપુર લોધી પહોંચશે અને સવારે 9 વાગ્યાથી ગુરુદ્વારા બેર સાહેબમાં માથુ ટેકવશે. પીએમ મોદી ત્યારબાદ ડેરા નાનક જશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમને જોતા પંજાબ પોલિસે સુરક્ષા વ્યવસ્થાનો પૂરતો બંદોબસ્ત કરી દીધો છે. વળી, એસીપીજીએ કમાન સંભાળી છે.
તમને જણાવી દઈએ કે સુલ્તાનપુર લોધી એ જગ્યા છે જ્યાં ગુરુ નાનકદેવજીએ પોતાના જીવનના ઘણી મહત્વપૂર્ણ વર્ષ પસાર કર્યા હતા. અહીં બેરીના વૃક્ષ નીચે તેમણે તપસ્યા કરી હતી ત્યારબાદ તે કરતારપુર સાહિબ ગયા હતા. દેશ અને દુનિયાભરમાંથી લાખો લોકો સુલ્તાનપુર લોધી પહોંચી રહ્યા છે. અહીં 4થી 12 નવેમ્બર સુધી એસજીપીસી અકાલ તખ્ત અને પંજાબ સરકારે ગુરુ નાનકજી ઉપર ઘણા કાર્યક્રમ રાખ્યા છે.

આ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદોઃ કોણ છે એ 5 જજ જે સંભળાવશે અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદોઆ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદોઃ કોણ છે એ 5 જજ જે સંભળાવશે અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો

English summary
PM Narendra Modi to inaugurate Kartarpur corridor checkpost, with tight security.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X