PM મોદી આજે કરશે વિદેશોમાં તૈનાત ભારતીય રાજનાયકો સાથે ફોન પર વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિદેશોમાં રાજનાયક મિશન પર તૈનાત ભારતીય પ્રમુખો સાથે વાત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિદેશોમાં રાજનાયક મિશન પર તૈનાત ભારતીય પ્રમુખો સાથે વાત કરશે. પીએમ મોદી આ ફોન કૉલ પર કૉવિડ-19ની સ્થિતિ પર ચર્ચા કરશે. તમને જણાવી દઈએ કે આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે રાજનાયક મિશનોના પ્રમુખો સાથે ફોન પર વાત કરી હતી. મહામારી દરમિયાન આ પહેલો મોકો છે જ્યારે પીએમ મોદી રાજનાયકો સાથે વાત કરશે.
આ પહેલા વિદેશ મંત્રી જયશંકરે લગાવ્યો હતો ફોન
વિદેશ મંત્રી જયશંકરે થોડી દિવસો પહેલા ભારતીય ઉચ્ચાયુક્તોને ફોન કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે સરકાર તરફથી સંકટ સામે લડવા માટે શું પગલા લેવામાં આવ્યા છે. જયશંકરે રાજનાયકોને કહ્યુ હતુ કે તે એલર્ટ રહે. આખી દુનિયામાં કોરોનાના કારણે મૃતકોનો આંકડો 11,402 સુધી પહોંચી ગયો છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ ઈટલીમાં છે જ્યાં 4,000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.
દુનિયાભરમાં કોવિડ-19ના કારણે લગભગ 35,000 લોકોના જીવ જઈ ચૂક્યા છે. ડિસેમ્બર 2019માં આ વાયરસ ચીનના હુબેઈ પ્રાંતના વુહાનથી નીકળ્યો હતો અને હવે 723, 716 લોકોને સંક્રમિત કરી ચૂક્યો છે. ભારતે આ મહામારી વચ્ચે જ ચીનના વુહાન ઉપરાંત ઈટલી અને ઈરાનથી લઈને જાપાનમાં ફસાયેલા ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ શિપથી ભારતીયોને કાઢ્યા છે.
આ પણ વાંચોઃ કોરોના વાયરસઃ બાબા રામદેવે 25 કરોડ રૂપિયાની મદદનુ કર્યુ એલાન