પીએમ મોદીનુ કાલે 10 વાગે સંબોધન, લૉકડાઉન લંબાવવા અંગે કરી શકે છે એલાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે 10 વાગે એક વાર ફરીથી દેશને સંબોધિત કરવા જઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે 10 વાગે એક વાર ફરીથી દેશને સંબોધિત કરવા જઈ રહ્યા છે. દેશમાં ફેલાયેલી કોરોના મહામારીને રોકવા માટે લગાવવામાં આવેલ લૉકડાઉન કાલે ખતમ થઈ રહ્યુ છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે પીએમ મોદી આલૉકડાઉનને વધુ 2 અઠવાડિયા સુધી આગળ લંબાવવાનુ એલાન કરી શકે છે. લૉકડાઉન કેટલુ લંબાશે, બીજા તબક્કામાં કોને કોને છૂટ મળશે તેની પણ ઘોષણા તેઓ કરી શકે છે.
કોરોના વાયરસ પર રાષ્ટ્રના નામે પીએમ મોદીનુ આ ચોથુ સંબોધન હસે. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે આ સંબોધનમાં પીએમ મોદી લૉકડાઉન લંબાવવાનુ એલાન કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં જ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. મીટિંગમાં દસ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પીએમને લૉકડાઉન લંબાવવા વિશે અપીલ કરી હતી.
કાલે જ 21 દિવસનુ લૉકડાઉન પણ ખતમ થઈ રહ્યુ છે. પ્રધાનમંત્રી ખુદ આગળનો પ્લાન જણાવી શકે છે કે લૉકડાઉન આગળ લંબાશે કે નહિ. વળી, અત્યાર સુધી પાંચ રાજ્યોમાં લૉકડાઉન લંબાવવનાનુ એલાન થઈ ચૂક્યુ છે. તેલંગાના, મહારાષ્ટ્ર, પંજાબ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળમાં 30 એપ્રિલ સુધી લૉકડાઉન ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે 2 મિનિટમાં બનાવ્યુ માસ્ક, શેર કર્યો Video