વિશ્વ જળ દિવસ પર જળ શક્તિ અભિયાનની શરૂઆત કરશે પીએમ નરેન્દ્ર મોદી
વિશ્વ જળ દિવસ પર જળ શક્તિ અભિયાનની શરૂઆત કરશે પીએમ નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ જળ દિવસના અવસર પર વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી જળ શક્તિ અભિયાન લૉન્ચ કરશે. આજે બપોરે 12.30 વાગ્યે આ અભિયાન લૉન્ચ કરાશે. આ અવસર પર કેન્દ્રીય જળ મંત્રાલય, ઉત્તર પ્રદેશ સરકાર અને મધ્ય પ્રવેશની સરકાર કેન બેતવાની નદીઓને જોડતી પરિયોજના માટે સમજૂતી પેપર પર હસ્તાક્ષર કરશે.

આ અભિયાનની થીમ 'કેચ ધી રેન વેયર ઈટ ફૉલ્સ, વેન ઈટ ફૉલ્સ' રાખવામાં આવી છે અને આ અભિયાન 22 માર્ચથી 30 નવેમ્બર સુધી સતત ચાલશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં વર્ષા જળના સંરક્ષણ પ્રત્યે જાગરુકતા વધારવાની છે.
જ્યારે જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ વિષય પર જાણકારી આપતા કહ્યું કે 22 માર્ચથી ફરી એકવાર જળશક્તિ અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે, જે દેશના તમામ 700 જિલ્લામાં ચાલશે. તેમણે કહ્યું કે પાણીના સંરક્ષણ અને પીવાના પાણીની ગુણવત્તા વિશે જાગરુકતા ફેલાવવાના ઉદ્દેશ્યથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
