POCSO કાનૂન: 12 વર્ષથી નાની ઉંમરની બાળકી પર બળાત્કાર કરનારને મળશે મોત
POCSO કાનૂનમાં સરકારે મોટો બદલાવ કર્યો છે. 12 વર્ષની બાળકીના બળાત્કારના દોષીઓને મળશે ફાંસીની સજા. આ પ્રસાવને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે.
12 વર્ષની બાળકીના બળાત્કારના દોષીઓને મળશે ફાંસીની સજા. આ પ્રસાવને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. શનિવારે વડાપ્રધાન આવાસ પર કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકાર જલ્દા જ આ કાનૂનને લઇને જલ્દી જ પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રેન ફોર્મ સેક્યૂઅલ ઓફેન્સ) એક્ટમાં સંશોધન કરવામાં આવશે. આ સંશોધન મંજૂર થતા જ 12 વર્ષ કે પછી તેનાથી નાની ઉંમરની બાળકીઓના બળાત્કાર કેસમાં દોષીઓને મોતની સજા આપી શકાશે. પોક્સો કાનૂનમાં હાજર પ્રાવધાનો મુજબ બાળકીના રેપમાં સૌથી વધુ સજા ઉંમરકેદ જ છે. પણ હવે તેવું નહીં રહે. આવા અપરાધ કરનાર લોકોને હવે મળશે મોત.
તમને જણાવી દઇએ કે શનિવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસના વિદેશ પ્રવાસથી પરત ફર્યા છે. અને પરત ફર્યા પછી શનિવારે તેમણે 11:30 વાગે કેબિનેટની બેઠક બોલાવી આ કાનૂન પર ચર્ચા કરી હતી.

કેબિનેટની બેઠકના એક દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં એક જનહિતમાં આપેલી અરજીના જવાબમાં એક પત્ર આપીને પોક્સો એક્ટમાં સંશોધન કરવાની પ્રક્રિયા શરૂ કરી ચૂક્યું છે. જેના હેઠળ 12 વર્ષથી ઓછી આયુની બાળકી સાથેના બળાત્કાર કેસમાં ફાંસીની સજા આપવાનું કહેવામાં આવે છે. આ મામલે 27 એપ્રિલે આગળની સુનવણી થશે. જાણકારી મુજબ સરકારે ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સગીર યુવતીઓ પર થયેલા રેપ અને તે પછી દેશભરમાં લોકોનો જે રોષ છે તેના આધારે સરકારે આ પગલાં લીધા છે.
2012માં નિર્ભયા કેસ થયા પછી અપરાધિક કાનૂનમાં પણ બદલાવ કરવામાં આવ્યો હતો. મહિલાની મૃત્યુય કે મરણ પામે તેની અવસ્થામાં પહોંચાડનારને ફાંસીની સજા આપવાનું કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે બાળ અધિકારો માટે કામ કરતી ગૈર સરકારી સંગઠન ક્રાઇ મુજબ ભારતમાં દર 15 મિનિટે એક બાળક યૌન અપરાધનો શિકાર બને છે. અને ગત 10 વર્ષોમાં સગીર બાળકો પર અપરાધના કિસ્સામાં 500 ટકા જેટલો વધારો થયો છે. એક રિપોર્ટમાં તે પણ ખુલાસો થયો છે કે બાળકો વિરુદ્ધ 50 ટકા સુધીના કેસો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળ આમ પાંચ રાજ્યોમાં વધારે થાય છે.
-
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
