Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

POK ભારતનો ભાગ છે, લોકોની ઇચ્છા થશે પૂરી, બોલ્યા જયશંકર

Jaishankar on POK: પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર ભારતનો જ એક ભાગ છે. ભારતની જનતા એક જ સવાલ કરી રહી છે કે, ભારતને POK ક્યારે પાછું મળશે. આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, ગુલામ કાશ્મીર (POK) ભારતનો હિસ્સો છે.

દેશની દરેક રાજનૈતિક પાર્ટી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પાછું ભારતમાં જોડવા માટે પ્રતિબદ્ધ છે. આ હકીકતમાં આપણી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા છે.

PoK પર લોકોની ઈચ્છાઓ પૂરી થશે - વિદેશ મંત્રી જયશંકર બુધવારના રોજ ગાર્ગી કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, લોકોએ સ્વીકાર્યું હતું કે, કલમ 370 બદલી શકાતી નથી, પરંતુ ભાજપ સરકારે ઓગસ્ટ 2019માં તેને રદ કરી દીધી હતી.

જયશંકરે જણાવ્યું હતું કે, આજે દેશવાસીઓના મનમાં ગુલામ કાશ્મીરનો મુદ્દો પણ આવી ગયો છે. જો તે તમારા વિચારોમાં આવી ગયું છે, તો બાકીની વાત ચોક્કસ કોઈને કોઈ સમયે પૂરી થશે.

Jaishankar on PoK

ગુલામ કાશ્મીરમાં લોકોની આર્થિક સ્થિતિ સારી નથી - જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે, ગુલામ કાશ્મીરમાં કથળતી આર્થિક સ્થિતિને લઈને રાજકીય અને માનવાધિકાર સંગઠનોએ લોંગ માર્ચ કાઢી છે. 11 મેના રોજ પીઓકેના મુઝફ્ફરાબાદમાં ધરણાનું પણ આહ્વાન કર્યું હતું.

યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP) અને જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) એ સંયુક્ત નિવેદનમાં જાહેરાત કરી હતી કે, ગંભીર બેરોજગારી, ઘઉં અને લોટ પરની સબસિડી રદ કરવા, અન્ય મુદ્દાઓ સહિત, ઉઠાવવામાં આવશે.

આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ પીઓકે પર નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, ત્યાં કંઈ કરવાની જરૂર નથી અને તે આપોઆપ ભારત આવી જશે. પીઓકેના લોકો હવે કંટાળી ગયા છે, અને ત્યાંથી ભારત આવવા માંગે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X