ભાવ વધારવાની કળા ધરાવે છે કોંગ્રેસઃ ભાજપ
ભાજપ પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ પાસે એવી કળા છે કે કેવી રીતે ભાવ વધારો કરવામાં આવે, અમે તેનો વિરોધ કરીએ છીએ. સરકાર તેનો નિર્ણય પરત લે, જેને જેટલા સિલિન્ડરની જરૂર હોય તેને તેટલા આપવામાં આવે.
બીજી તરફ સીપીએમના મહાસચિવ પ્રકાશ કરાતે જણાવ્યા પ્રમાણે આ જનતા પર કરવામાં આવેલા એક હુમલા સમાન છે. જે રીતે પેટ્રોલને નિયંત્રણ મુક્ત કરવામાં આવ્યું, તેનાથી તેનો ભાવ દરરોજ વધે છે. એવી જ રીતે હવે ડીઝલ પર પણ તેવું જ થશે. ઓઇલ અને સિલિન્ડરના ભાવો પર યૂપીએ સરકારથી સમર્થન પરત ખેંચનાર તૃણમૂલ કોંગ્રેસે પણ તેને જનતા વિરોધી પગલું ગણાવ્યું છે.
સમાજવાદી પાર્ટીએ કહ્યું કે, મોંઘવારીનો મારની ભરપાઇ 2014ની ચૂંટણીમાં કેન્દ્ર સરકારે કરવી પડશે, મોંઘવારી માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે દોષી છે. નોંધનીય છે કે, ડીઝલ અને રસોઇ ગેસની કિંમત સામાન્ય જનતાના બેજટની ધડકન નક્કી કરે છે. જેથી તમામ પાર્ટીઓ તેનો વિરોધ કરી રહી છે. જો કે હવે જોવાનું એ છે કે શું પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલો આ વિરોધ સામાન્ય જનતાને રાહત અપાવી શકશે.