For Quick Alerts
For Daily Alerts
મમતા પોતાના નિર્ણય પર અડગ, કોંગ્રેસ ખોટો પ્રચાર ન કરે: મમતા
મમતા બેનર્જીએ કહ્યું હતું કે સત્ય એ છે કે કોંગ્રેસ નેતા જુઠ્ઠુ બોલી રહ્યા છે. મુકુલ રોયને સરકાર તરફથી વાતચીત કરવા બાબતે કોઇ સંદેશો મળ્યો નથી. પ્રજા માટે મારી પાર્ટી કોઇ પણ ત્યાગ કરવા માટે તૈયાર છે. તેમને કહ્યું હતું કે સામાન્ય જનતાને છ કે નવ નહીં પરંતુ 24 ગેસ સિલિન્ડર સસ્તા દરે મળવા જોઇએ.
મમતા બેનર્જીએ સરકારની નિતીઓ પર આંગળી ચિંધતા કહ્યું હતું કે સરકાર મોંઘવારી વધારવા માટે ખાસ નિયમો બનાવ્યાં છે. પહેલાં તે આઠ રૂપિયા વધારે છે અને પછી એક રૂપિયો ઘટાડી દે છે. તૃણમૂલ કોંગ્રેસે યૂપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો હોવાના નિર્ણય પર અડગ છે. એફડીઆઇ મુદ્દે અમારો વિરોધ ચાલુ રહેશે. અમે દરેક પક્ષોને અપીલ કરીએ છીએ કે 20 સપ્ટેમ્બરે યોજાનારા ભારત બંધના એલાનને પરત ખેંચે. કારણ કે અંતે નુકશાન તો દેશને જ થશે.
Comments
mamata banerjee upa congress trinamool congress bharat bandh ભારત મમતા બેનર્જી યૂપીએ કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસ ભારત બંધ
English summary
Trinamool Congress chief Mamata Banerjee slammed the UPA government and the Congress on Wednesday, saying the latter were spreading distorted information and rumour. She was speaking in her first press conference after pulling out of the UPA government on Tuesday evening.