UPમાં સોનિયાને માતા દુર્ગા તરીકે દર્શાવતા પોસ્ટરથી વિવાદ

અલ્હાબાદ શહેરના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલા સુભાષ ચોક પાસે આ પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના એરવિંદ કેજરીવાલ અને બાબા રામદેવને રાવણ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા હતા.
આ પોસ્ટર કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇના પૂર્વ જિલ્લા અધ્યક્ષ સિરીશ ચંદ્ર દુબે અને યુવક કોંગ્રેસના સચિવ હસીબ અહેમદે લગાવ્યા હતા. પોસ્ટરની નીચે તેમની તસવીરે પણ મૂકવામાં આવી હતી. આ પોસ્ટર રવિવારની રેલીમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવા માટે લગાવવામાં આવ્યા હતા.
જિલ્લા ભાજપ દ્વારા આ પોસ્ટર્સનો વિરોધ કરવામાં આવ્યો છે અને તેને હલકા રાજકારણનું કૃત્ય ગણાવ્યું છે. ભાજપ પોસ્ટર્સ લગાવનારા સામે કાર્યવાહી કરવાની માંગણી કરવાના છે.












Click it and Unblock the Notifications
