બીજેપીમાં પોસ્ટર વોર, આડવાણીના પત્રના લાગી ગયા પોસ્ટર!
નવી દિલ્હી, 11 જૂન: બીજેપી નેતા લાલકૃષ્ણ આડવાણીના પત્રના પોસ્ટર બનાવીને હવે બીજેપી પર નિશાનો સાધવામાં આવી રહ્યો છે. આડવાણીના રાજીનામાની એક પત્રની સામે આવ્યાના એક દિવસ બાદ આજે દિલ્હી ખાતેના મુખ્યાલય પાસે આવેલા સર્કલ પર આડવાણીના પત્રનું પોસ્ટર બનાવીને લગાવી દેવામાં આવ્યું. આ પોસ્ટરમાં પત્રને શીર્ષક 'બીજેપીનો પર્દાફાશ' એવું આપવામાં આવ્યું છે.
માનવામાં આવી રહ્યું છે કે વિરોધી જૂથ તરફથી આજવાણીના રાજીનામા થકી બીજેપી પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આડવાણીની આ ચિઠ્ઠીના પોસ્ટરો બનાવીને અન્ય ઘણી જગ્યાએ પણ લગાવવામાં આવ્યા છે. મીડિયામાં આ સમાચાર આવવાના કારણે બીજેપી કાર્યાલય સુધી આ વાત પહોંચી અને બીજેપી કાર્યકરોએ આ પોસ્ટરોને ઉતારી લીધા હતા.
તેમણે જણાવ્યું કે આડવાણી અમારા સૌથી મોટા નેતા છે, અમારે અને અમારી પાર્ટીને તેમના માર્ગદર્શનની જરૂરિયાત છે. બધા જ નેતાઓએ એક સાથે આડવાણીના રાજીનામાનો અસ્વીકાર કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોવાની કાર્યકારિણી બેઠકમાં મોદીની પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવા પર નારાજ હોવાથી તેમણે આ રાજીનામુ આપ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.