રાષ્ટ્રપતિ-પીએમે દેશવાસીઓને પાઠવી વસંત પંચમીની શુભકામના, ભક્તોએ લગાવી આસ્થાની ડૂબકી
વસંત પંચમીએ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત તમામ હસ્તીઓએ દેશવાસીઓને શુભકામના આપી છે.
Basant Panchami 2021: People took holy dip in Ganga, President-Pm Greet the Nation: આજે આખો દેશ વસંત પંચમીનો પવિત્ર પર્વ મનાવી રહ્યો છે. પ્રયાગરાજ, કાશી અને હરિદ્વારમાં લોકોએ આ શુભ અવસર પર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી છે. વળી, આ પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત તમામ હસ્તીઓએ દેશવાસીઓને શુભકામના આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કર્યુ છે કે વસંત પંચમી અને સરસ્વતી પૂજાના શુભ પ્રસંગે બધા દેશવાસીઓને હાર્દિક શુભકામાઓ. વળી, પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યુ છે કે વસંત પંચમી અને સરસ્વતી પૂજાના પવિત્ર પ્રસંગે તમને સૌને હાર્દિક શુભકામનાઓ.

તમને જણાવી દઈએ કે વસંત પંચમીનો દિવસ કલા અને સંગીતની દેવી મા સરસ્વતીને સમર્પિત છે. કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિને મા સરસ્વતીના આશીષ ન મળે ત્યાં સુધી તે પ્રગતિના પંથે આગળ વધી શકે નહિ. માટે વસંત પંચમીના દિવસે લોકો પોતાના ઘરોમાં માતાની પ્રતિમાની પૂજા-અર્ચના કરે છે. આ પર્વને મુખ્ય રીતે વસંત એટલે કે નવા પાક પર ફૂલો આવવાના દિવસ તરીકે મનાવવામાં આવે છે. વસંત પંચમીના શ્રી પંચમી કહેવામાં આવે છે. વળી, આજે કૌમુદી ઉત્સવ પણ મનાવવામાં આવે છે.
કેવી રીતે કરશો સરસ્વતી પૂજા
પ્રાતઃ કાળ સ્નાનાદિથી નિવૃત્ત થઈને સાફ-સ્વચ્છ વસ્ત્ર પહેરીને પૂજા સ્થળમાં બેસો. એક પાટલા પર શ્વેત વસ્ત્ર પાથરીને દેવી સરસ્વતીનુ ચિત્ર કે મૂર્તિ સ્થાપિત કરીને પૂજન સંપન્ન કરો. દેવીને સફેદ અને વાદળી ફૂલો અર્પણ કરો. ખીરનુ નૈવેધ ધરાવો. ત્યારબાદ બધાએ સરસ્વતી વંદના કરવી જોઈએ કારણકે આનાથી વ્યક્તિના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ આવે છે.
આ મંત્રોનો કરો જાપ
- ॐ श्री सरस्वती शुक्लवर्णां सस्मितां सुमनोहराम्।।
- कोटिचंद्रप्रभामुष्टपुष्टश्रीयुक्तविग्रहाम्।
- वह्निशुद्धां शुकाधानां वीणापुस्तकमधारिणीम्।।
- रत्नसारेन्द्रनिर्माणनवभूषणभूषिताम्। सुपूजितां सुरगणैब्रह्मविष्णुशिवादिभि:।।
- वन्दे भक्तया वन्दिता च मुनीन्द्रमनुमानवै:।
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
