Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પહેલીવાર રામલીલામાં સામેલ થશે દેશના રાષ્ટ્રપતિ, રાવણ દહન કરશે

પહેલીવાર રામલીલામાં સામેલ થશે દેશના રાષ્ટ્રપતિ, રાવણ દહન કરશે

નવી દિલ્હીઃ દેશભરમાં રામલીલાનું આયોજન ચાલી રહ્યું છે. દરેક જગ્યાએ ધામધૂમથી દુર્ગાપૂજા મનાવવામાં આવી રહી છે. આજે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ દિલ્હીના પ્રતાપગંજ વિસ્તારમાં રાવણના પુતળાનું દહન કરવા જશે. દિલ્હીના આઈપી એક્સટેંશનમાં થઈ રહેલ રામલીલા આ વખતે લોકો માટે ખાસ રહેશે. કેમ કે ચીફ ગેસ્ટ તરીકે પહેલીવાર રાષ્ટ્રપતિ સામેલ થવા જઈ રહ્યા છે.

ramnath kovind

જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ પહેલીવાર રામલીલાના કાર્યક્રમમાં સામેલ થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાવણનું દહન કરશે. રાષ્ટ્રપતિ આવવાના હોવાની સૂચના મળતાં જ અહીંની સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવામાં આવી છે. આઈપી એક્સટેંશનમાં થઈ રહેલ ઈન્દ્રપ્રસ્થ રામલીલા કમિટીના અધ્યક્ષ સુરેશ બિંદલે ચીફ ગેસ્ટ માટે પત્ર લખી અહીં આવવા ભલામણ કરી હતી. જે બાદ તેમને રાષ્ટ્રપતિ કાર્યલયથી મંજૂરી પત્ર મળ્યો છે.

રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા મોકલવામાં આવેલ પત્રમાં લખવામાં આવ્યું છે કે અહીં આવવા માટે રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. જ્યારે તેમના આવવાનો સમય પણ જણાવવામાં આવ્યો છે. જેથી તે સમયે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી ન રહે. રામનાથ કોવિંદ અહીં અડધો કલાક માટે આવશે. તેઓ અહીં સાડા છ વાગ્યે આવશે અને રામલીલામાં ભાગ લીધા બાદ 7 વાગ્યે અહીંથી પ્રસ્થાન કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X