વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષે ફરી આપશે "રાષ્ટ્રના નામે સંદેશ"
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર રાષ્ટ્રના નામે સંદેશ આપશે તેવી સંભાવનાઓ છે. જેમાં મોટી જાહેરાત થઇ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી રાષ્ટ્રના નામે એક સંદેશો આપે તેવી સંભાવના છે. માનવામાં આવે છે કે પીએમનો રાષ્ટ્રની નામે સંદેશ નોટબંધીના 50 દિવસોના પૂર્ણ થવા પર આપશે. સંભાવના છે કે 30 કે 31 ડિસેમ્બરે પીએમ મોદી આ સંદેશ આપી શકે છે. ટીવી રિપોર્ટ્સ મુજબ પીએમ મોદી નવ વર્ષની પૂર્વ સંધ્યાએ આ સંદેશો આપશે.
નોંધનીય છે કે 8 નવેમ્બરના રોજ પીએમ મોદીએ રાષ્ટ્રના નામે સંદેશ આપ્યો હતો. જે મુજબ 500 અને 1000 રૂપિયાની નોટને વિમુદ્રિત કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર દેશમાં આશ્ચર્યચકિત થઇ ગયો હતો. માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રના નામે મોદીની આ નવી ધોષણામાં અનેક નવી જાહેરાતો હશે.
નોંધનીય છે કે નોટબંધી બાદ અત્યારે પણ લોકોને છુટ્ટાની તંગીથી લઇને કેશની તંગી અનુભવાઇ રહી છે. વળી વિપક્ષ પણ નોટબંધીને લઇને કેન્દ્ર સરકાર પર આકારા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે જોવાનું તે રહે છે કે નરેન્દ્ર મોદીની આ સંભવિત જાહેરાત આવનારા દિવસોમાં લોકોની મુશ્કેલીઓ ઓછી કરે છે કે વધારે છે.