બિહાર: ઔરંગાબાદ જેલમાં પોતાની માંગને લઇને અનશન પર બેસ્યાં 90 કેદી

આ મુદ્દે 459 કેદીઓમાંથી 90 કેદીઓએ ભોજન કર્યું નથી. નક્સલી નેતા પ્રમોદ મિશ્રાના નેતૃત્વમાં કેદીઓએ અનશન શરૂ કર્યું છે. જેલ અધીક્ષક તેજનારાયણ રાયે જણાવ્યું હતું કે 89 કેદી એક દિવસના અનશન પર રહેશે.
જેલ અધીક્ષકના અનુસાર કેદીઓએ 10 સૂત્રી માંગ મુકી છે. રોહતાસ તથા મદનપુરમાં થયેલ પોલીસ ફાયરિંગના દોષી પોલીસકર્મીઓ પર કલમ 302 હેઠળ કેસ ચલાવવા, મૃત્યું પામેલા ગ્રામીણોને શહીદનો દરજ્જો અપાવવા, શહીદ સ્મારક બનાવવા, મૃતકના આશ્રિતોને 10 લાખ તથા ઇજાગ્રસ્તોને 5 લાખ રૂપિયા વળતર આપવાની માંગ કરી છે.
જહાનાબાદમાં મહિલાને નિવસ્ત્ર કરી કરવામાં આવેલી મારઝૂડની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવા, જેલમાં બહારી પોલીસ દ્વારા બંદીઓની કરવામાં આવતી મારપીટને રોકવી, બનાવટી કેસ તથા ટેબુલ અનુસંધાન બંદ કરવાની માંગને ગંભીરતાથી મુકી છે.
કેદીઓએ ધમકી આપી છે કે જો આ માંગો પર વિચાર કરવામાં નહી આવે તો આંદોલન ઉગ્ર થશે. તમને જણાવી દઇએ કે ઔરંગાબાદ મંડળ જેલમાં ઘણા નક્સલી બંધ છે. આ મુદ્દે હઠે ચડેલા કેદીઓએ હવે અનશનનો માર્ગ અપનાવ્યો છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
